મૃત્યું પહેલાં ત્રણ વર્ષના બાળકે કહ્યું ભગવાનને બધુ કહીશ
દમિશ્ક, 21 મે: 'હું મર્યા બાદ ભગવાનને બધુ કહીશ', આ શબ્દ તે ત્રણ વર્ષના બાળક છે જેની સીરિયામાં થયેલા બ્લાસ્ટમાં મોત થયું છે. બ્લાસ્ટમાં ગંભીર રીતે ઘાયલ તે બાળકને જ્યારે એક હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો તો તેના અંતિમ શબ્દ હતા.
આ શબ્દો બાદ જ તે બાળકે દમ તોડી દિધો. આ બાળકના ફોટોગ્રાફ અને તેના શબ્દ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ચૂક્યા છે. સવાલ ઉદભવી રહ્યાં છે કે પોતાને માણસ સમજનાર લોકોમાં શું માણસાઇ ખતમ થઇ ચૂકી છે.
સીરિયામાં માર્ચ 2011થી સિવિલ વૉર ચાલુ છે. આ સિવિલ વૉરમાં અત્યાર સુધી આધિકારીક રીતે 150,000 લોકોના મોત થઇ ચૂક્યાં છે અને તેમાંથી 11,420 બાળકો છે. આ બાળકના ફોટાથી સીરિયામાં ચાલુ હાલતોની એક ઝલક મળી જાય છે.
આગળની કેટલીક સ્લાઇડ્સમાં જુઓ આ બાળકની કેટલીક તસવીરો જે ખરેખર તમારી આંખોમાં આંસૂ લાવી દેશે.

દર્દથી તડપતો હતો
આ બાળકનું નામ શુ છે તે હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ ફોટોગ્રાફથી સ્પષ્ટ છે કે આ બાળકને ગંભીર ઇજા પહોંચી હતી. આ બાળક દર્દથી તડપી રહ્યો હતો.

સારવાર છતાં થયું મોત
આ બાળકને જોઇને અને તેને જે કહ્યું તેને સાંભળીને ડૉક્ટરની આંખોમાં આંસૂ આવી ગયા હતા.

ફેસબુક અને ટ્વિટર પર ફોટો
આ બાળકના સમાચાર સાથે જોડાયેલો એક વીડિયો જ્યાં યૂ-ટ્યૂબ પર વાયરલ થઇ ગયો છે તો બીજી તરફ માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટરથી માંડીને ફેસબુક સુધી આ બાળકના ફોટોગ્રાફને લોકો પરસ્પર શેર કરી રહ્યાં છે.

રોજ વધી રહ્યો છે આંકડો
સીરિયામાં એક એપ્રિલ સુધી 150,000 લોકોના મોત રજિસ્ટર થઇ ચૂક્યાં છે. આ 150,000 લોકોના મોતોમાં ફેબ્રુઆરીથી માંડીને એક એપ્રિલ વચ્ચે 10,000 લોકોના મૃત્યું દરમાં 32 ટકા વધારો થયો છે.

બાળકોને પણ છોડી રહ્યાં નથી વિદ્રોહી
સીરિયામાં વિદ્રોહી બાળકો પર પણ દયા દાખવી રહ્યાં નથી અને તેમને પણ નિર્દયતા પૂર્વક મારવામાં આવી રહ્યાં છે. કેટલાક બાળકો તો પોતાના માતા-પિતાથી છુડા પડી ગયા છે. જુલ્મ સહન કરનાર બાળકોની ઉંમર થોડા મહિનાથી માંડીને 15 વર્ષ સુધી છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
