ચીનમાં માણસોમાં ફેલાયું બર્ડ ફ્લૂ, ભારત થઇ જાય સાવધાન
બેઇજિંગ, 20 એપ્રિલઃ ચીનમાં માનવીઓમાં બર્ડ ફ્લૂનો એક નવો મામલો પ્રકાશમાં આવ્યો છે. પાડોસી દેશ હોવાના કારણે ભારત માટે એ જાગૃત થવાની સ્થિતિ છે. અત્યારથી સતર્ક રહેવાની જરૂર છે, કારણ કે જો ચીનથી બર્ડ ફ્લૂ ભારત આવ્યું તો સૌથી પહેલા અરૂણાચલ પ્રદેશ અને કાશ્મીરના લદાખ પર પ્રહાર કરશે. એટલું જ નહીં નેપાળમાં પણ તેની અસર જોવા મળી શકે છે.

ચીનમાં આ વર્ષે 120 લોકોમાં એચ7એન9ના સંક્રમણની પૃષ્ટિ થઇ છે, જેમાંથી 39 લોકોના મોત નીપજ્યાં છે.
માનવીઓમાં કેવી રીતે ફેલાય છે બર્ડ ફ્લૂ
બર્ડ ફ્લૂ પક્ષીઓમાં થનારો એક વાયરસ છે, જને એચ5એન1નું નામ આપવામાં આવ્યું છે. જે લોકો કોઇપણ પ્રકારના બીમાર પક્ષીઓના સંપર્કમાં આવે છે, તેમાથી બર્ડ ફ્લૂ ફેલાવવાનો ખતરો રહે છે. કારણ કે ચીન પક્ષીઓનું મોટું બજાર છે, તેથી ત્યાં સૌથી વધારે કેસ જોવા મળે છે. માત્ર સંક્રમિત પક્ષીને અર્ધ પાકેલી અવસ્થામાં ખાય છે, તેનાથી માનવીઓમાં બર્ડ ફ્લૂ થઇ જાય છે, મરધા ફાઇટ કરાવતા, પક્ષીઓની સફાઇ કરનારા અથવા તો તેનુ પાલન કરનારાઓને થાય છે. એક સ્વાસ્થ્ય રિપોર્ટ અનુસાર પૂર્ણ પાકેલું ચિકન અથવા તો અંડા ખાવાથી બર્ડ ફ્લૂ થતું નથી.












Click it and Unblock the Notifications
