For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેપાળઃ 40 યાત્રીઓને લઈ જઈ રહેલ બસનો ગોજારો અકસ્માત, 12ના મોત

નેપાળઃ 40 યાત્રીઓને લઈ જઈ રહેલ બસનો ગોજારો અકસ્માત, 12ના મોત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ પાડોસી દેશ નેપાળથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં દર્દનાક ઘટના ઘટી છે. અહીંના સિંધુપાલચોક જિલ્લામાં યાત્રીઓથી ભરેલી એક બસ ખીણમાં ખાબકી છે, જેમાં 12 જેટલા લોકોના મોત થયાં છે જ્યારે કેટલાય લોકો ઘાયલ થઈ ગયા છે, જણાવવામાં આવી રહ્યું છે કે આ બસમાં 40 લોકો સવાર હતા, ઘટના સ્થળે સતત રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે, સ્થાનિક મીડિયા મુજબ મૃતકોની સંખ્યા વધી પણ શકે છે, હાલ ઘાયલોને હોસ્પિટલે દાખલ કર્યા છે.

accident

પોલીસ મુજબ 40 તીર્થયાત્રીઓથી ભરેલી એક બસ કાલીચોક મંદિરથી પરત ફરી રહી હતી, આ દરમિયાન સવારે સાડા આઠ વાગ્યે બસ સિંધુપાલચોક જિલ્લાના સુનકોશી ગ્રામીણ નગરપાલિકા પાસે અચાનક બસ ચાલકે નિયંત્રણ ગુમાવી દીધું, જેના કારણે સંતુલન બગડી ગયું અને બસ ખીણમાં ખાબકી. ઘટનાનો શિકાર થયેલ લોકોના ઘરવાળા પોલીસ સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યા છે.

Vijay Diwas: 30 લાખની હત્યા- 2 લાખ મહિલાઓના દુષ્કર્મ, જાણો 1971 યુદ્ધમાં પાકિસ્તાન કેવી રીતે હાર્યુVijay Diwas: 30 લાખની હત્યા- 2 લાખ મહિલાઓના દુષ્કર્મ, જાણો 1971 યુદ્ધમાં પાકિસ્તાન કેવી રીતે હાર્યુ

English summary
bus accident in nepal, 12 tourist died on the spot
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X