કેનાડા આગામી 3 વર્ષમાં આપશે 10 લાખથી વધુ લોકોને શરણ
કેનેડા સરકાર આવનારા 3 વર્ષમાં તેમના દેશમાં 10 લાખ નવા શરણાર્થીઓને પરમેનેન્ટ શરણ આપવાની યોજના બનાવી રહી છે.
જો તમે કેનેડા જઈને વસવા ઈચ્છો છો તો બેગ પેક કરી લો અને નીકળી પડો કારણકે આનાથી સારો સમય કદાચ નહિ મળી શકે. કેનેડા સરકાર આવનારા 3 વર્ષમાં તેમના દેશમાં 10 લાખ નવા શરણાર્થીઓને પરમેનેન્ટ શરણ આપવાની યોજના બનાવી રહી છે. કે જે દર વર્ષની વસ્તીનો 10 ટકા હિસ્સો હશે. કેનેડાએ ગયા વર્ષે 2,86,000થી પણ વધુ શરણાર્થીઓને પોતાના દેશમાં પરમેનેન્ટ શરણ આપી છે. વળી, આ વર્ષે આ આંકડો 3,50,000 સુધી પહોંચી શકે છે. તમને જણાવી દઈએ કે શરણાર્થીઓ માટે કેનેડા પહેલી પસંદ છે.

રિપોર્ટ અનુસાર 2019 સુધી કેનેડામાં 3,50,000 નવા શરણાર્થી હશે. વળી, 2020માં આ આંકડો 3,60,000 સુધી પહોંચી જશે અને 2021 સુધી દુનિયાભરના અલગ અલગ દેશોમાંથી 3,70,000 શરણાર્થી આ દેશનો હિસ્સો બની શકે છે. આ હિસાબે આવનારા 3 વર્ષોમાં કેનેડામાં 10 લાખથી વધુ નવા શરણાર્થી હશે. કેનેડાના આઈઆરસીસી (Canada's minister of Immigration, Refugees and Citizenship) મંત્રી અહમદ હુસેને કહ્યુ કે, 'નવા ચહેરાઓનું સ્વાગત કરવુ અમારો ઈતિહાસ રહ્યો છે જેમણે કેનેડાને મજબૂત અને આકર્ષક બનાવ્યુ છે.'
હુસેન ખુદ એક શરણાર્થી છે જેમણે સોમાલિયાથી કેનેડામાં શરણ લીધી હતી. હુસેને કહ્યુ કે આનાથી કેનેડાની વસ્તીમાં જે અસંતુલન પેદા થયુ છે તેને ઠીક કરવામાં મદદ મળશે અને લેબર્સ ફોર્સ વધવાથી જન્મદરમાં ઘટાડો આવશે. કેનેડા જે સમયે નવા લોકોને શરણ આપવા જઈ રહ્યો છે તે સમયે અમેરિકા અને પશ્ચિમી દેશોએ પોતાની નવી કઠોર ઈમિગ્રેશન પૉલિસી અપનાવી છે. યુએનના રિપોર્ટ અનુસાર 2017માં 68.6 મિલિયન લોકોને યુદ્ધ, આર્થિક, ધાર્મિક અને સામાજિક ભેદભાવનાથી માંડી હિંસાથી પરેશાન થઈ પોતાના દેશમાંથી પલાયન થવા માટે મજબૂર થવુ પડ્યુ. કેનેડા ખાસ કરીને પોતાના શરણાર્થીઓની સુરક્ષા પ્રત્યે પ્રતિબદ્ધતા માટે જાણીતુ રહ્યુ છે. શરણાર્થીઓની સુરક્ષા માટે કેનેડાએ 5.6 બિલિયન ડૉલરની મદદની પણ ઘોષણા કરી છે.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
