આ દેશોમાં એક સપ્તાહની અંદર આવી શકે છે કોરોનાની ઘાતક લહેર, ચેતવણી જાહેર
કોરોના મહામારીના કેસોમાં ઘટાડા બાદ બે વર્ષ પછી લોકોએ હજુ માંડ રાહતનો શ્વાસ લીધો છે ત્યાં એક ડરામણા સમાચાર સામે આવી રહ્યા છે.
કોરોના મહામારીના કેસોમાં ઘટાડા બાદ બે વર્ષ પછી લોકોએ હજુ માંડ રાહતનો શ્વાસ લીધો છે ત્યાં એક ડરામણા સમાચાર સામે આવી રહ્યા છે. યુરોપિયન મેડિસિન એજન્સી(EMA)એ ચેતવણી આપી છે કે કોવિડની ખૂબ જ ખતરનાક લહેર આવવાની છે. એજન્સીએ આશંકા વ્યક્ત કરી છે કે યુરોપમાં કોવિડની નવી લહેર એક સપ્તાહની અંદર આવી શકે છે. આરોગ્ય એજન્સીએ ચેતવણી પણ આપી હતી કે રસીઓની સપ્લાયની સરખામણીમાં વાયરસના નવા વેરિઅંટ વધુ ઝડપથી સામે આવી રહ્યા છે.

યુરોપિયન યુનિયન તરફથી કહેવામાં આવ્યુ છે કે કોવિડ મહામારી હજુ સમાપ્ત થઈ નથી. દરેક વ્યક્તિએ કોરોનાના નિયમોનુ સંપૂર્ણ પાલન કરવુ પડશે. સાથે જ સાવચેત રહેવાની પણ સલાહ આપવામાં આવી છે. લોકોને કોરોના પ્રોટોકોલનુ પાલન કરવામાં બેદરકારી ન રાખવા માટે કહેવામાં આવ્યુ છે. વેક્સીન સ્ટ્રેટેજીના પ્રમુખ ડૉ. માર્કો કેવેલરીના જણાવ્યા મુજબ યુરોપિયન યુનિયન અને યુરોપિયન ઇકોનોમિક એરિયાના ઓછામાં ઓછા પાંચ દેશોમાં ગયા અઠવાડિયે ઓમિક્રોનના નવા વેરિઅંટની ઓળખ કરવામાં આવી હતી. જેમાંથી એક BQ.1 તરીકે ઓળખાતો હતો. ECDCના ડૉ. માર્કો કેવેલરીના જણાવ્યા મુજબ નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆત વચ્ચે ભારે વિનાશની અપેક્ષા છે. તેમણે કહ્યુ કે આ નવી લહેર ઘણી ઘાતક સાબિત થઈ શકે છે.
આ દરમિયાન રાહતની વાત એ છે કે કોવિડ સામે લડવામાં રસી હજુ પણ અસરકારક છે. આરોગ્ય એજન્સીએ કહ્યુ કે રસીઓ કોવિડ સામે અસરકારક છે. વધુમાં યુરોપિયન આરોગ્ય સત્તાવાળાઓએ ઉચ્ચ જોખમ ધરાવતા લોકોને ઈન્ફલ્યુએન્ઝા વાયરસ સામે રસી લેવા જણાવ્યુ છે. આ શિયાળામાં આ વાયરસ ફેલાઈ શકે છે. આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે ઓમિક્રોનનો નવો વેરિઅન્ટ યુએસમાં તબાહી મચાવી રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)એ પણ જણાવ્યુ છે કે BQ.1.1 સબવેરિયન્ટ ઓછામાં ઓછા 29 દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
