ઇજીપ્તના ત્રણ શહેરોમાં ઇમરજન્સી, હિંસામાં 50ના મોત
અધિકૃત સમાચાર એજન્સીએ જણાવ્યા પ્રમાણે વિપક્ષી સંગઠન નેશનલ કોએલિશન ફ્રન્ટની બેઠકમાં નોબલ પુરરસ્કાર વિજેતા મોહમ્મદ અલબરદઇએ કહ્યું કે, સરકાર સાથેની વાર્તાલાપમાં ભાગ લેવામાં નહીં આવે. વાર્તાલાપ માટે નિમંત્રણ આપવું એ સમયની બરબાદી છે. સરકાર હિંસા રોકવામાં નાકામ રહી છે. મુરસીએ વિપક્ષી નેતાઓને વાર્તાલાપ માટે આમંત્રિત કર્યા હતા જેથી હાલના સંકટનુ સમાધાન કાઢી શકાય.
હિંસાને જોતા ત્રણ શહેરો પોર્ટ સઇદ, સુએજ અને ઇસ્લમાઇલિયામાં 30 દિવસ માટે ઇમરજન્સી લગાવવામાં આવી છે. તાજી હિંસા આજે કાહિરાના ઐતિહાસિક તહરીર ચૌક પર તઇ, જેમા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ સાથે જ છેલ્લા કેટલાક દિવસથી હિંસામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા વધીને 50 થઇ છે. હિંસામાં 700થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે.
કાહિરાના તહરીર ચૌક બે વર્ષ પહેલા તાનાશાહ હુસ્ની મુબારક વિરુદ્ધ ક્રાન્તિનું કેન્દ્ર બન્યા હતા. મુરસીએ કહ્યું કે, મેં કહ્યું છે કે હું ઇમરજન્સીના કોઇપણ પગલાંની વિરુદ્ધ છું, પરંતુ મે એમપણ કહ્યું છે કે રક્તપાતને રોકવા માટે અને લોકોની સુરક્ષા માટે આ પગલું ઉઠાવ્યું છે. સરકારી ચેનલ થકી ગત રાત્રે પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે ઇમરજન્સીનો નિર્ણય સંવિધાનની સમીક્ષા બાદ ઉઠાવ્યો છે. મુરસીએ કહ્યું કે આ પગલું ભરવા માટે તેઓ વિવશ થયા છે.
મુરસી રાષ્ટ્રપતિ બન્યા બાદ આ પહેલીવાર છે કે જ્યારે ઇજીપ્તમાં ઇમરજન્સી જેવા કડક પગલા ભરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે જો હિંસા ચાલું રહી તો તેમણે દેશને બચાવવા માટે કડક પગલાં ભરવા પડશે.