ઇજીપ્તમાં લોકોએ રાષ્ટ્રપતિ ભવનનો સુરક્ષા ઘેરો તોડ્યો

મુર્સી વિરુદ્ધ જનરેલીમાં સામેલ થવા માટે લોકો શુક્રવારે સવારથી જ તહરીર ચોક પહોંચી ગયા હતા. તેમની માંગ હતી કે રાષ્ટ્રપતિ પોતાના અધિકારોને અનિશ્ચિત બનાવવાના આદેશને પરત લેવા અને 15 ડિસેમ્બરના સંવિધાન પર પ્રસ્તાવિત જનમત સંગ્રહને ટાળી દે. મુર્સી વિરોધીઓનું કહેવું છે કે, આ સંવિધાન ના તો ઇજીપ્તના તમામ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે અને ના તો તેમની રક્ષા કરે છે.
ઇજીપ્તના મુખ્ય વિપક્ષી ગઠબંધન 'નેશનલ સાલવેશન ફ્રન્ટ'ના એક વરિષ્ઠ સભ્યનું કહેવું છે કે તેમનો મોર્ચો મુર્સી તરફથી ગત રાતથી પ્રસ્તાવિત વાર્તામાં ભાગ નહીં લે. નોંધનીય છે કે રાષ્ટ્રપતિ ભવનથી પ્રદર્શનકારીઓને દૂર રાખવા માટે ત્યાં ટેંક અને બખતરબંધ ગાડીઓ તૈનાત કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવનની આસપાસ ક્ષેત્રોમાં મુરસી સમર્થકો અને વિરોધીઓ વચ્ચે છેલ્લા બે દિવસમાં હિંસક ઘટનાઓ ઘટી હતી. આ ઘટનાઓમાં સાત લોકો માર્યા ગયા છે અને અંદાજે 700 લોકો ઘાયલ થયા છે.
પ્રદર્શનમાં ભાગ લઇ રહેલા લોકો બ્રધરહૂડની મિલિશિયના ઉખેડી ફેંકવાનો શુક્રવાર છે, લાલ કાર્ડ શુક્રવાર છે અને અંતિમ ચેતવણીનો શુક્રવાર છે, જેવા નારા લગાવી રહ્યાં હતા. મુર્સીએ 22 નવેમ્બરે એક આદેશ જારી કરી રાષ્ટ્રપતિ પદ અને તેમના નિર્ણયોના ન્યાયિક પુનરવલોકનના અધિકાર સમાપ્ત કરી દીધા હતા અને ઇસ્લામવાદી પ્રભુત્વવાળા શુરા પરિષદ અને સંવિધાન સભાને અદાલતના આદેશને ભંગ કરવાનો અધિકાર સમાપ્ત થઇ ગયો હતો. નિર્ણય બાદ જ સેંકડો પ્રદર્શનકારી તહરીર ચોક પર ધરણા કરી રહ્યાં હતા.












Click it and Unblock the Notifications
