FATF એ પાકિસ્તાનને આપી ચેતવણી, ‘આતંકીઓ સામે કાર્યવાહી કરો નહિ તો...'
અમેરિકી રાજ્ય ફ્લોરિડાના ઓરલેન્ડોમાં શુક્રવારે ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ની મહત્વની મીટિંગ થઈ. આ મીટિંગમાં પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે.
અમેરિકી રાજ્ય ફ્લોરિડાના ઓરલેન્ડોમાં શુક્રવારે ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ની મહત્વની મીટિંગ થઈ. આ મીટિંગમાં પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે. પાકને ઓક્ટોબર સુધીનો સમય આપવામાં આવ્યો છે. એફએટીએફ તરફથી પાકિસ્તાનને કહેવામાં આવ્યુ છે કે જો તેણે પોતાની જમીન પર હાજર યુનાઈટેડ નેશન્સ (યુએન) તરફથી બ્લેકલિસ્ટેડ આતંકી સંગઠનો સામે કાર્યવાહી ના કરી તો પછી તેને બ્લેકલિસ્ટ કરી દેવાશે. શુક્રવારે ભારતના કૂટનીતિક સૂત્રો તરફથી આ અંગેની માહિતી આપવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યુ કે ચીન, પાકિસ્તાનના બચાવમાં જરૂર આવ્યુ પરંતુ પાકને આપેલી ચેતવણી પર તેણે કોઈ વાંધો દર્શાવ્યો નહિ.

અત્યાર સુધી કેમ ન લેવામાં આવી કોઈ એક્શન
પાકિસ્તાનને એફએટીએફ તરફથી ગ્રે લિસ્ટમાં રાખવામાં આવ્યુ છે. સંસ્થાએ માન્યુ કે પાકિસ્તાને મની લૉન્ડ્રીંગ અને ટેરર ફાઈનાન્સિંગને રોકવા માટે કંઈ કર્યુ નથી. ફ્રાંસની રાજધાની પેરિસમાં 13થી 18 ઓક્ટોબર સુધી યોજાનાર એક મીટિંગમાં પાકિસ્તાન પર મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. એફએટીએફ તરફથી જાહેર કરાયેલ એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે, 'અમે પાકિસ્તાનને કડક શબ્દોમાં વિનંતી કરીએ છીએ કે ઓક્ટોબર 2019 સુધી તે પોતાના એક્શન પ્લાનને પૂરો કરે કારણકે ત્યાં સુધી તેનો છેલ્લે નક્કી કરેલો એક્શન પ્લાન ખતમ થવાનો છે.' નિવેદનમાં આગળ કહેવામાં આવ્યુ છે કે, 'જો પાકિસ્તાને આમ ન કર્યુ તો પછી એફએટીએફ પોતાના આગળના પગલાં વિશે નિર્ણય કરશે.' એફએટીએફ એ પાકિસ્તાન પાસે એ અંગે પણ સ્પષ્ટીકરણ માંગ્યુ છે કે તે હજુ સુધી ઘણી વાતોની માહિતી આપવામાં નિષ્ફળ કેમ રહ્યા છે. એફએટીએફ એ કહ્યુ છે કે અત્યાર સુધી આતંકીઓને મળતા હથિયાર, વિસ્ફોટક અને કેમ્પ્સ જેવી આતંકી સંપત્તિઓ માટે પાકે કોઈ પણ એક્શન કેમ નથી લીધી.
આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોના આરે પાક
પાકિસ્તાન બ્લેકલિસ્ટ થશે તો પછી તેના પર આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને ખતરો વધી જશે. ભારત અને બીજા દેશો તરફથી પાકિસ્તાન પર હાફિઝ સઈદ, મસૂદ અઝહર અને યુએન તરફથી આતંકી ઘોષિત કરાયેલ બીજા લોકો પર ઠોસ કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ભારતનું માનવુ છે કે પાકિસ્તાને એન્ટી-ટેરર કાયદાઓ હેઠળ નક્કી કરેલા માનાંકો મુજબ કાર્યવાહી કરવાની છે. એ સીનિયર ઓફિસર તરફથી જણાવવામાં આવ્યુ છે કે, 'આ ખરેખર એક ગંભીર બાબત છે કે પાકિસ્તાના આતંક વિરોધી કાયદો હજુ સુધી એફટીએએફના માનાંકો મુજબ નથી અને સાથે યુએમના 2462 પ્રસ્તાવની પણ વિરુદ્ધમાં છે જેમાં ટેરર ફાઈનાન્સિગને એક ગુનો ગણવામાં આવ્યો છે.' એફટીએએફના ઘણા સભ્ય દેશો તરફથી પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો કે અત્યાર સુધી પાકમાં યુએન તરફથી આતંકી ઘોષિત કરાયેલ હાફિઝ સઈદ અને અઝહર મસૂદ સામે કોઈ કેસ નોંધાયેલો નથી. પાકને મીટિંગમાં ટર્કી, ચીન અને મલેશિયાનું સમર્થન મળ્યુ. જો કે હજુ સુધી તેની અધિકૃત પુષ્ટિ થઈ શકી નથી.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
