For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મક્કાની ઇમારતમાં લાગી આગ, 13 હજયાત્રી દાજ્યા

|
Google Oneindia Gujarati News

fire
ઝેદ્દા, 22 ઓક્ટોબર: ભારતીય તથા મ્યાનમારના હજયાત્રીયોને રોકાવા માટે મક્કામાં બનાવવામાં આવેલી નવ માળની ઇમારતમાં આગ લાગવાથી 13 લોકો દાજી ગયા છે.

મીડિયા અહેવાલો અનુસાર સોમવારે જણાવ્યું કે ગઇકાલે રાત્રે ઇમારતની ચોથા માળે આગ લાગી હતી. ત્યારબાદ ફાયરબ્રિગેડના 10 અધિકારીઓએ ખુબ જ જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો. તેમજ ભારત અને મ્યાનમારના હજયાત્રીયોને સુરક્ષીત બહાર કાઢ્યા હતા.

અહેવાલ અનુસાર સાઉદી સુરક્ષા દળોએ સફળતાપૂર્વક આગ પર કાબૂ મેળવીને 179 હજ યાત્રીયોને બચાવી લીધા છે. આગમાં દાજેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે હજી સુધી કોઇ ભારતીય હજયાત્રીની આ ઘટનામાં ઘાયલ થવાના સમાચાર નથી.

સુરક્ષા અધિકારીયોના મીડિયા પ્રવક્તા લેફ્ટિનન્ટ કર્નલ અબ્લુલ્લા અલ ઓરાબી અલ હાર્થીએ જણાવ્યું કે આગ લાગવાના તુરંત બાદ બચાવદળ ઘટનાસ્થળે પહોંચી જઇ બચાવકાર્ય શરૂ કરી દીધું હતું. સમગ્ર ઘટનાની તપાસ થઇ રહી છે.

English summary
At least 13 pilgrims suffered minor burns while 179 others, from India and Bangladesh, were rescued after a fire occurred in a nine-storey building in Saudi Arabia's Makkah city Sunday evening.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X