મક્કાની ઇમારતમાં લાગી આગ, 13 હજયાત્રી દાજ્યા

મીડિયા અહેવાલો અનુસાર સોમવારે જણાવ્યું કે ગઇકાલે રાત્રે ઇમારતની ચોથા માળે આગ લાગી હતી. ત્યારબાદ ફાયરબ્રિગેડના 10 અધિકારીઓએ ખુબ જ જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો. તેમજ ભારત અને મ્યાનમારના હજયાત્રીયોને સુરક્ષીત બહાર કાઢ્યા હતા.
અહેવાલ અનુસાર સાઉદી સુરક્ષા દળોએ સફળતાપૂર્વક આગ પર કાબૂ મેળવીને 179 હજ યાત્રીયોને બચાવી લીધા છે. આગમાં દાજેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે હજી સુધી કોઇ ભારતીય હજયાત્રીની આ ઘટનામાં ઘાયલ થવાના સમાચાર નથી.
સુરક્ષા અધિકારીયોના મીડિયા પ્રવક્તા લેફ્ટિનન્ટ કર્નલ અબ્લુલ્લા અલ ઓરાબી અલ હાર્થીએ જણાવ્યું કે આગ લાગવાના તુરંત બાદ બચાવદળ ઘટનાસ્થળે પહોંચી જઇ બચાવકાર્ય શરૂ કરી દીધું હતું. સમગ્ર ઘટનાની તપાસ થઇ રહી છે.
More From
-
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026







Click it and Unblock the Notifications
