તપાસ માટે અરાફાતનો મૃતદેહ કબરમાંથી બહાર કઢાયો

તેમની મોતના કેટલાક મહિનાઓ બાદ એવો વિવાદ ચગ્યો હતો કે અરાફાતના પરિવારના સભ્યોએ એ જ વખતે તેમની મોત પર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને તેમની હત્યા કરવામાં આવી હોવાનો આરોપ લગાવાયો હતો. અરાફાતે 35 વર્ષો સુધી પેલેસ્ટાઇન મુક્તિ સંગઠન(પીએલઓ)નું નેતૃત્વ કર્યું હતુ અને વર્ષ 1996માં પેલેસ્ટાઇન પ્રાધિકરણના પહેલા રાષ્ટ્રપતિ બન્યા હતા.
મેડિકલ અહેવાલ અનુસાર ફ્રાન્સમાં યાસિર અરાફાતનો સ્ટ્રોક થયો હતો. પરંતુ જ્યારે એક ડોક્યુમેન્ટ્રી બનાવતી વખતે સ્વિત્ઝરલેન્ડના વિશેષજ્ઞોએ તેમની વસ્તુઓ પર રેડિયોધર્મી પોલોનિયમ 210 મેળવ્યું તો આ જ વર્ષના ઓગષ્ટમાં ફ્રાન્સમાં તેમની મોત અંગે હત્યાની તપાસ શરૂ કરી હતી. પેલેસ્ટાઇન જાસૂસી એજન્સીના પૂર્વ પ્રમુખ અને અરાફાતની મોતની તપાસ કરી રહેલી પેલેસ્ટાઇન સમિતિના અધ્યક્ષ તૌફીક તિરાવીએ મીડિયાને જણાવ્યું કે મૃતદેહ બહાર કાઢ્યા પછી ફ્રાન્સ, સ્વિત્ઝરલેન્ડ અને રશિયાના વૈજ્ઞાનિકો તેમના નમૂના લેશે અને દરેક ટીમ પોતાની સ્વતંત્ર તપાસ અને વિશ્લેષણ કરશે. ત્યારબાદ મૃતદેહને પુરા સૈન્ય સન્માન સાથે ફરીથી દફનાવવામાં આવશે.
અરાફાતના વિધવા સોહાએ અરાફાતના મૃતદેહને દફાનાવ્યા બાદ પોસ્ટ મોર્ટમ થવા અંગે આપત્તિ જણાવી હતી પરંતુ બાદમાં જાતે જ પેલેસ્ટાઇન પ્રશાસનને મૃતદેહ કબરમાથી બહાર કાઢવા માટે આગ્રહ કર્યો હતો જેથી સત્ય સામે આવે. જો કે, ઘણા પેલેસ્ટાઇનઓનું માનવું છે કે અરાફાતને ઇસરઇલએ ઝેર આપીને માર્યા હતા, કારણ કે શાંતિના માર્ગમાં અડચણ બની ગયા હતા, ઇસરાઇલે આ મામલેમાં કોઇ પ્રકારનો હાથ હોવાનો ઇન્કાર કર્યો છે.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
