For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનની જેલમાં ગુજરાતી માછીમારનું મોત

|
Google Oneindia Gujarati News

karachi-jail
કરાચી, 4 ફેબ્રુઆરીઃ પાકિસ્તાનના કરાચીની જેલમાં એક ભારતીય નાગરીકનું મોત નીપજ્યું છે. આ અંગે મળેલી માહિતી અનુસાર જે ભારતીય નાગરીકનું મોત નીપજ્યું છે, તે ગુજરાતનો માછીમાર છે. ગુજરાતના માછીમારની ધરપકડ કરી કરાચીની લાંધી જેલમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં મંગળવારે ભારતીય નાગરીક સંદિગ્ધ અવસ્થામાં મૃત મળી આવ્યો હતો. તેની ઓળખ કિશોર ભગવાનના રૂપમાં થઇ છે.

કિશોર ભગવાનનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. જે પ્રકારે ભગવાનનું મોત થયું છે તેનાથી હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે ગયા વર્ષે ભારતીય નાગરીક સરબજીત સિંહની હત્યા કરી દેવામાં આવી હતી. સરબજીત સિંહ લાહોરની લખપત જેલમાં કેદ હતો. તેના પર જેલના છ કેદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. 2 મે 2013ના લાહોરની જિન્ના હોસ્પિટલમાં સરબજીત સિંહનું મોત નીપજ્યું હતું. સરબજીત સિંહની હત્યા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ ઉત્પન્ન થઇ ગયો હતો.

English summary
Gujarati fisherman arrested by Pakistan dies in Karachi jail.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X