પાકિસ્તાનની જેલમાં ગુજરાતી માછીમારનું મોત

karachi-jail
કરાચી, 4 ફેબ્રુઆરીઃ પાકિસ્તાનના કરાચીની જેલમાં એક ભારતીય નાગરીકનું મોત નીપજ્યું છે. આ અંગે મળેલી માહિતી અનુસાર જે ભારતીય નાગરીકનું મોત નીપજ્યું છે, તે ગુજરાતનો માછીમાર છે. ગુજરાતના માછીમારની ધરપકડ કરી કરાચીની લાંધી જેલમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં મંગળવારે ભારતીય નાગરીક સંદિગ્ધ અવસ્થામાં મૃત મળી આવ્યો હતો. તેની ઓળખ કિશોર ભગવાનના રૂપમાં થઇ છે.

કિશોર ભગવાનનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. જે પ્રકારે ભગવાનનું મોત થયું છે તેનાથી હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે ગયા વર્ષે ભારતીય નાગરીક સરબજીત સિંહની હત્યા કરી દેવામાં આવી હતી. સરબજીત સિંહ લાહોરની લખપત જેલમાં કેદ હતો. તેના પર જેલના છ કેદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. 2 મે 2013ના લાહોરની જિન્ના હોસ્પિટલમાં સરબજીત સિંહનું મોત નીપજ્યું હતું. સરબજીત સિંહની હત્યા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ ઉત્પન્ન થઇ ગયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X