હિઝબુલ્લાહે ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુના ઘર પર કર્યો ડ્રોન હુમલો, જાણો PMના હાલ
Israel Prime Minister Netanyahu: મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે, ડ્રોન હુમલામાં ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના નિવાસસ્થાનની નજીકની ઇમારતને નિશાન બનાવવામાં આવી હતી.
ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયલના અહેવાલ અનુસાર, ડ્રોન લેબનોનથી છોડવામાં આવ્યું હતું અને તેનો ટારગેટ સીઝેરિયામાં નેતન્યાહુના ઘર પર હતું.
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) એ પુષ્ટિ કરી કે, લેબનોનથી ત્રણ ડ્રોન લોન્ચ કરવામાં આવ્યા હતા, જેમાં બેને અટકાવ્યા હતા. એક ડ્રોન સીઝેરિયામાં એક ઇમારત સાથે ટકરાયું હતું. આ હુમલામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
નેતન્યાહુના કાર્યાલયે તેમના નિવાસસ્થાન પર હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, તેઓ અને તેમની પત્ની બંને ઘટના દરમિયાન ગેરહાજર હતા.

વડાપ્રધાન કાર્યલયે જણાવ્યું હતું કે, IDFના નિવેદન સાથે સંરેખિત, કોઈ ઇજાઓ નથી. દરમિયાન, પેલેસ્ટિનિયન ન્યૂઝ એજન્સી WAFA, ગાઝાના અલ મગાઝી શરણાર્થી શિબિરમાં એક ઘર પર ઇઝરાયેલી સ્ટ્રાઈકની જાણકારી આપી હતી. આ સ્ટ્રાઈકમાં 11 લોકોના મોત થયા છે. આ સાથે કેટલાક લોકો કાટમાળ નીચે દટાયા હોવાના પણ અહેવાલ છે.
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચીએ ઈરાન પર સંભવિત ઈઝરાયેલ હુમલા અંગે યુએસ પ્રમુખ જો બાઈડેનની ટિપ્પણીનો જવાબ આપ્યો છે.
તેમણે X પર જણાવ્યું હતું કે, ઈઝરાયેલ ઈરાન પર કેવી રીતે અને ક્યારે હુમલો કરવા જઈ રહ્યું છે. તે અંગે કોઈને પણ જાણ હોય તો તેને પણ જાનહાનિ માટે જવાબદાર ગણવું જોઈએ.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ?






Click it and Unblock the Notifications
