હિનાને બિલાવલના પ્રેમમાં પડવાની મળી શકે છે સજા

બીજી તરફ ભારતે આ અંગે કોઇપણ ટિપ્પણી કરવાનો ઇલકાર કરી દીધો છે. જો હિના રબ્બાની ખાર પાસેથી વિદેશમંત્રી પદ પાછું લેવામાં આવશે તો ભારત સરકાર વિદેશી નીતિયો પર હિના સાથે વાત નહીં કરી શકે.
જો ઝરદારી દેશહિત ઇચ્છતા હશે તો તેઓ હિનાને પદ પરથી હટાવશે નહીં, કારણ કે હિનાએ પાકિસ્તાનની છબી સુધારી છે. જેના કારણે આતંકવાદનો પર્યાય બની ચૂકેલા પાકિસ્તાન સાથે અન્ય દેશો વાતચીત અને સમજૂતી કરવા માટે રાજી થઇ રહ્યા છે.
હવે ઝરદારી પાકિસ્તાનનું ભલું ઇચ્છીને હિનાને યથાવત રાખે છે કે પુત્ર બિલાવલનું વિચારીને હિનાને પદ પરથી હટાવે છે એ તો સમય જ નક્કી કરશે.
પાકિસ્તાનના ટેબલોયડ વિકલી પ્રમાણે બિલવાલ અને હિના પોતાની પ્રેમ કહાણી બનાવવા આતુર છે. જેને લઇને ઝરદારી ખૂબ જ ચિંતામાં છે. ઝરદારી નથી ઇચ્છતા કે બિલવાલ અને હિના એક થાય. જોકે પ્રેમમાં પાગલ બિલવાલ હિના માટે બધું જ છોડવા તૈયાર છે.












Click it and Unblock the Notifications
