ઓટો પાયલટ કાર કેટલી ખતરનાક? જાણો ઈમરજન્સી પરિસ્થિતીમાં કેવી રીતે બ્રેક લાગે છે?
આ દુનિયામાં ઝડપથી ટેકનોલોજી વિકસી રહી છે. આ ટેકનોલોજીને કારણે ઘણા દેશોમાં ઓટો પાયલટ કાર દોડી રહી છે. આ કારને લઈને ઘણી ચર્ચા અને સવાલો છે.
વિશ્વની ઘણી મોટી કંપનીઓ ડ્રાઇવર વિનાની ટેક્નોલોજી પર કામ કરી રહી છે, જેમાં ટેસ્લા સૌથી આગળ છે. ઈલોન મસ્કની કંપનીએ પણ આ કારનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે.

કહેવામાં આવી રહ્યું છે કે આવનારા કેટલાક મહિનાઓમાં અથવા તો આવતા વર્ષે વિશ્વના ઘણા દેશોમાં ડ્રાઇવર વિનાની કાર દોડશેશે. જો કે આ અંગે વિવાદ થઈ રહ્યો છે.
ભારતમાં પણ ડ્રાઈવર વિનાની કારને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આવી કારોને ભારતમાં આવવા નહીં દે.
સવાલ એ છે કે ડ્રાઇવર વિનાની કાર બ્રેક કેવી રીતે લગાવે છે અને કટોકટીના સમયે તે કેવી રીતે કામ કરે છે? કારમાં સેફ્ટી સૌથી મહત્વનો મુદ્દો હોય છે ત્યારે આ સવાલ મહત્વના છે.
ડ્રાઇવર વિનાની કાર અથવા ઓટો-ડ્રાઇવિંગ કારમાં ઘણા પ્રકારના સેન્સર લગાવવામાં આવે છે, જે ખાતરી કરે છે કે બ્રેક ક્યારે અને કેવી રીતે લગાવવી. આ સિવાય કારમાં ઘણા કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. જો કે હજુ સુધી તેને સંપૂર્ણપણે સલામત કહી શકાય તેમ નથી.
ડ્રાઇવર વિનાની કાર 360 ડિગ્રી સેન્સરથી સજ્જ છે, જે કાર અથવા નજીકમાં ફરતા કોઈપણ પ્રાણીને અનુભવીને નિર્ણય લે છે. કોઈ પણ વસ્તુની નજીક પહોંચતા પહેલા કાર ધીમી પડી જાય છે અને બ્રેક લાગે છે.












Click it and Unblock the Notifications
