પાકિસ્તાને ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી
પુલવામાં હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે ગરમાવો સતત વધી રહ્યો છે. જ્યાં એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના સુરક્ષાબળોને પુરી છૂટ આપવાની વાત કહી છે
પુલવામાં હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે ગરમાવો સતત વધી રહ્યો છે. જ્યાં એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના સુરક્ષાબળોને પુરી છૂટ આપવાની વાત કહી છે, તો બીજી બાજુ પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને પુલવામાં હુમલા પછી મંગળવારે કહ્યું કે જો ભારત કોઈ પણ પ્રહારનો હુમલો કરશે તો અમે પણ યુદ્ધ ઘ્વારા તેનો જવાબ આપીશુ. આ વચ્ચે ઇમરાન ખાનના એક મંત્રીએ અપ્રત્યક્ષ રૂપે પરમાણુ હુમલાની ધમકી આપી છે. પાકિસ્તાન આ પહેલા પણ ઘણીવાર પરમાણુ હુમલાની ધમકી આપી ચૂક્યું છે.
આ પણ વાંચો: પુલવામા હુમલોઃ પાકિસ્તાન પીએમ ઈમરાન ખાન, 'યુદ્ધનો જવાબ યુદ્ધથી આપીશુ'

ના પક્ષીઓ હશે, ના મંદિરમાં ઘંટીઓ વાગશે
પાકિસ્તાનના રેલ મંત્રી શેખ રશીદ અહમદે કહ્યું કે અમે બંગડીઓ નથી પહેરી, અમારા માટે પકિસ્તાન જીવન છે. પાકિસ્તાન સામે આંખ ઉઠાવીને જોયું તો તે આંખો કાઢી લેવામાં આવશે અને ફરી ઘાસ ઉગે, પક્ષીઓ નહિ આવે, મંદિરમાં ઘંટડીઓ નહીં વાગે કારણકે પાકિસ્તાન મુસલમાનોનો કિલ્લો છે, જેની તરફ બધા જ મુસલમાનો જોઈ રહ્યા છે. ઇમરાન ખાનના મંત્રી ઘ્વારા જણાવવામાં આવ્યું કે જો અમનથી વાત કરશે તો તેઓ પણ અમનની વાત કરશે. પરંતુ જો જંગની વાત કરશે તો તેઓ પણ જંગથી જવાબ આપશે.

રશીદને બીજી સર્જીકલ સ્ટ્રાઇકની શંકા હતી
આપણે જણાવી દઈએ કે શેખ રશીદ જેમને ગયા વર્ષે કહ્યું હતું કે રાજ્યમાં થયેલા વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હારને કારણે લોકસભા ચૂંટણીમાં તેમને હારનો સામનો ના કરવો પડે એટલા માટે મોદી સરકાર ફરી એકવાર સર્જીકલ સ્ટ્રાઇકનો સહારો લઇ શકે છે. તેમને કહ્યું કે મોદી અને તેની સરકારને પોતાની વોટ બેન્કને જવાબ આપવાનો છે એટલા માટે આવા સમયે પાકિસ્તાન વિરોધી કેમ્પઇન ચલાવી શકે છે.
|
કુરેશી પણ ધમકી આપી ચુક્યા છે
પુલવામાં હુમલા પછી પાકિસ્તાનના વિદેશમંત્રી કુરેશીએ ભારતને યુદ્ધનો જવાબ યુદ્ધથી આપવાની વાત કહી. આપને જણાવી દઈએ કે પુલવામાં હુમલાની જવાબદારી જૈસ-એ-મોહમ્મદે લીધી છે અને જૈસ-એ-મોહમ્મદ ક્યાંથી સંચાલિત થાય છે તેના વિશે આખી દુનિયા જાણે છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
