Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હરદીપ સિંહ નિજ્જર કુખ્યાત હત્યારો હતો, કોઈ સંત નહિ..., ભારતીય એજન્સીઓએ કેનેડાને કહ્યુ

India-Canada Row: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા પાછળ ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે. ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF) આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પાછળ ભારતનો હાથ હોવાના કેનેડાએ હજુ સુધી વિશ્વસનીય પુરાવા આપ્યા નથી.

કેનેડિયન ગુપ્તચર વિભાગ સતત એવી વાર્તાને આગળ ધપાવી રહ્યું છે કે હરદીપ સિંહ નિજ્જર સરેમાં ગુરુ નાનક ગુરુદ્વારાના વડા હતા અને ધાર્મિક વિચાર ધરાવતા માણસ હતા. હવે ભારતીય ગુપ્તચર એજન્સીઓએ તેમના ડોઝિયરમાં દાવો કર્યો છે કે હરદીપ સિંહ નિજ્જર તેના પિતરાઈ ભાઈ અને ગુરુદ્વારાના ભૂતપૂર્વ પ્રમુખ રઘબીર સિંહ નિજ્જરને ધમકી આપીને ગુરુદ્વારાનો વડા બન્યો હતો.

Hardeep Singh Nijjar

ભારતીય ગુપ્તચર એજન્સીઓના ડોઝિયરમાં જણાવાયું છે કે હરદીપ સિંહ નિજ્જર એક આતંકવાદી અને કુખ્યાત ખૂની હતો, ધાર્મિક નેતા કે સંત નહોતો. હરદીપ સિંહ નિજ્જર ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ (KCF) આતંકવાદી ગુરદીપ સિંહ ઉર્ફે દીપા હેરનવાલાનો ભૂતપૂર્વ સહયોગી હતો, જે 1980ના દાયકાના અંતમાં અને 1990ના દાયકાની શરૂઆતમાં પંજાબમાં 200થી વધુ હત્યાઓમાં સામેલ હતો. ડોઝિયર મુજબ, હરદીપ સિંહ નિજ્જર અન્ય ગેંગ લીડર ગુરનેક સિંહ ઉર્ફે નેકાના ગુનાઓમાં પણ સામેલ હતો.

ડોઝિયરમાં જણાવાયું છે કે હરદીપ સિંહ નિજ્જર 1996માં "રવિ શર્મા" ના નામના નકલી પાસપોર્ટ પર કેનેડા ભાગી ગયો હતો અને ત્યાં ટ્રક ડ્રાઈવર અને પ્લમ્બર તરીકે કામ કરવા લાગ્યો હતો. કેનેડામાં જ તે પાકિસ્તાન સ્થિત ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF)ના વડા જગતાર સિંહ તારાના સંપર્કમાં આવ્યો હતો અને એપ્રિલ 2012માં બૈસાખી જત્થાના સભ્યની આડમાં પાકિસ્તાનની મુલાકાત પણ લીધી હતી.

ડોઝિયરમાં જણાવાયું છે કે, KTFના વડા જગતાર સિંહ તારાના વિચારોથી પ્રભાવિત હરદીપ સિંહ નિજ્જર કટ્ટરપંથી હતો. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ઈન્ટર-સર્વિસિસ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ)એ તેમને આ બધામાં મદદ કરી હતી.

ડોઝિયરમાં જણાવાયું છે કે તારાએ 2012 અને 2013માં નિજ્જરને હથિયાર અને વિસ્ફોટકોની ટ્રેનિંગ આપી હતી. ડોઝિયરમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે 2013માં તારાએ યુએસ સ્થિત હરજોત સિંહ બિરિંગને કેનેડા મોકલ્યો હતો. જેણે નિજ્જરને હેન્ડહેલ્ડ જીપીએસ ઉપકરણનો ઉપયોગ કરવાની તાલીમ પણ આપી હતી.

2015માં તારાને થાઈલેન્ડથી ભારતમાં દેશનિકાલ કરવામાં આવ્યા પછી, નિજ્જરે KTF ઑપરેશન્સ ચીફની ભૂમિકા નિભાવી. કેનેડામાં KTFનો હવાલો સંભાળ્યા પછી, નિજ્જર KTF મોડ્યુલ સભ્યોને ઓળખવા, નેટવર્કિંગ, તાલીમ, ભંડોળ અને સંચાલનમાં સક્રિયપણે સામેલ હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X