કઠોર પડોશીઓ વચ્ચે ઘેરાયેલુ છે ભારત, બાઈડેનના નવા દૂતે જણાવ્યો ભારતીય સીમાની સુરક્ષાનો પ્લાન
ભારત 'કઠોર પડોશીઓ' વચ્ચે ઘેરાયેલુ છે માટે આપણે ભારતની સીમાઓને સુરક્ષિત કરવામાં મદદ કરવી પડશે.
વૉશિંગ્ટનઃ ભારત 'કઠોર પડોશીઓ' વચ્ચે ઘેરાયેલુ છે માટે આપણે ભારતની સીમાઓને સુરક્ષિત કરવામાં મદદ કરવી પડશે. આ નિવેદન આપ્યુ છે નવી દિલ્લીમાં અમેરિકાના આગલા રાજદૂત થવાના ઉમેદવાર એરિક માઈકલ ગાર્સેટીએ. એરિક માઈકલ ગાર્સેટીએ અમેરિકી સાંસદો વચ્ચે ભારતના મુદ્દે પોતાના વિચારો રજૂ કર્યા છે. રાષ્ટ્રપતિ બાઈડેને એરિક માઈકલ ગાર્સેટીને નવી દિલ્લીમાં આગલા દૂત હોવાના ઉમેદવાર ગણાવ્યા છે અને ઘણી સંભાવના છે કે એરિક માઈકલ ગાર્સેટી જ નવી દિલ્લીમાં અમેરિકાના આગલા દૂત હશે.

'કઠોર પડોશીઓ વચ્ચે ઘેરાયેલુ છે ભારત'
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનના નવી દિલ્લીમાં આગલા દૂત માટે ઉમેદવાર એરિક માઈકલ ગાર્સેટીએ મંગળવારે અમેરિકી સાંસદોને કહ્યુ કે, 'તે ભારતને પોતાની સીમાઓને સુરક્ષિત રાખવા, પોતાની સંપ્રભુતાની રક્ષા કરવા અને પોતાની ક્ષમતાને મજબૂત કરવા માટે અમેરિકાના પ્રયાસોને બમણા કરી દેશે.' 50 વર્ષીય એરિક માઈકલ ગાર્સેટી વર્તમાનમાં લૉસ એન્જેલ્સના મેયર તરીકે સેવારત છે અને બાઈડનના અંગત વિશ્વાસપાત્રોમાંના એક છે. અમેરિકા સાંસદો સામે પોતાની ઉમેદવારીને લઈને પોતાની વાત રાખીને ગાર્સેટીએ ભારત વિશે પોતાના વિચારો રજૂ કર્યા છે. જેમાં સૌથી મહત્વપૂર્ણ વાત તેમણે 'ભારત કઠોર પડોશીઓ વચ્ચે ઘેરાયેલુ છે' એ વાત કહી છે.

ભારત વિશે નવા દૂતના વિચાર
ભારતમાં અમેરિકી રાજદૂત માટે પોતાની પુષ્ટિકરણની સુનાવણી દરમિયાન ગાર્સેટીએ કહ્યુ કે, 'ભારત એક કઠોર પડોશમાં સ્થિત છે. જો મારા નામની પુષ્ટિ થઈ જાય તો હું ભારતની સીમાઓને સુરક્ષિત રાખવા, ભારતની સંપ્રભુતાની રક્ષા કરવા અને ભારત સામે આક્રમણને રોકવા માટે ચાલી રહેલ અમેરિકાના પ્રયાસોને બમણા કરવાનો ઈરાદો ધરાવુ છુ.'

આતંકવાદ સામે ભારતની મદદ
ગાર્સેટીએ અમેરિકી સાંસદો સામે પોતાના ઈન્ટરવ્યુ દરમિયાન એ વાત પર જોર આપ્યુ કે આતંકવાદને રોકવા માટે આતંકવાદ સામે સમન્વય જાળવવા માટે નેવિગેશનને મજબૂત કરવા માટે તે ભારત સાથે સૂચનાઓ શરે કરવા પર જોર આપશે. ગાર્સેટીએ કહ્યુ કે તેમણે અમેરિકી નૌકાદળ સાથે કામ કરીને ભારતીય નૌકાદળના અધિકારીઓ સાથે ઘણુ નજીકથી કામ કર્યુ છે માટે તે સમુદ્રી સુરક્ષામાં ભારતની મુખ્ય રીતે મદદ કરી શકે છે.

ભારત સાથે ટેકનોલૉજી ટ્રાન્સફર
ગાર્સેટીએ કહ્યુ કે તેમની કોશિશ ભારત સાથે ડિફેન્સ સેક્ટરમાં ટેકનોલૉજીના વેચાણ પર હશે જેથી આપણી ટેકનોલૉજીના માધ્યમથી ભારત પોતાની ક્ષમતાઓને વિકસિત કરી શકે. ગાર્સેટીએ કહ્યુ કે, 'જો તેમના નામની પુષ્ટિ થઈ જાય તો તે એજન્ડી 2030 દ્વારા ઈન્ટરનેશનલ સોલર અલાયન્સ માટે ભારત સાથે મળીને કામ કરવા માંગશે જેથી ગ્રીન એનર્જીના સેક્યરમાં બંને દેશ વિકાસ કરી શકે. તેમણે કહ્યુ કે ભારત સાથે અમારી ભાગીદારીનો આધાર માનવ સંબંધ છે જે અમારા રાષ્ટ્રોને જોડે છે, જે આપણા દેશને મજબૂત કરતા ચાર મિલિયન મજબૂત ભારતીય-અમેરિકી પ્રવાસી છે અને લગભગ બે લાખ ભારતીય છાત્રો અને હજારો પ્રોફેશનલ્સ છે જે આપણી અર્થવ્યવસ્થામાં યોગદાન આપે છે.'












Click it and Unblock the Notifications
