ભારતની વિદેશનીતિમાં વિરોધાભાષ છે: ચીની મીડિયા
બેઇજીંગ, 18 માર્ચ: ચીનના સરકારી મીડિયામાં આવેલા એક આર્ટિકલમાં ભારતની વિદેશ નીતિને અસ્પષ્ટ અને વિરોધાભાષી ગણાવવામાં આવી છે, જેમાં લખાયું છે કે નવી દિલ્હીની વિદેશનીતિમાં દીર્ઘકાલિન વિચારનો અભાવ છે.
આની સાથે જ એવું પણ લેખમાં કહેવામાં આવ્યું છે કે નવી દિલ્હી દ્વારા વૈશ્વિક વ્યવસ્થામાં ભાગીદારીને લઇને ખચકાટથી તેની પ્રગતિ અવરોધાઇ રહી છે. સરકારી ગ્લોબલ ટાઇમ્સની વેબસાઇટ પર લખેલ એક લેખમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન મનમોહન સિંહ અને ચીની વડાપ્રધાન લી કેકિયાંગે સીમા મુદ્દો પર સંયમથી જોડાયેલી સમજૂત પર હસ્તાક્ષર કર્યા હતા, પંરતુ ચીન-ભારતની સીમા પર ભારત તરફથી હંમેસા ઝઘડા શરૂ કરવામાં આવતા રહ્યા છે.

લેખમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રકારનો વિરોધાભાષ કેવી રીતે પરિભાષિત થાય છે? સૌથી પહેલા, નવી દિલ્હી પોતાની વિદેશ નીતિના લક્ષ્યો અંગે ક્યારેક દીર્ઘકાલિન વિચાર કરે છે. યૂક્રેન સંકટ પર ભારતની જાહેરાતોને વિરોધાભાષપૂર્ણ ગણાવતા લેખમાં કહેવામાં આવ્યું છે કે બદલાતી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાં ભારતથી સંતુલન સ્થાપિત કરનાર એક સ્થિર ક્ષેત્રિય કારકની ભૂમિકાની અપેક્ષા કરવામાં આવે છે. હવે જોવાનું એ રહે છે કે શું ભારત કે ભારતીય મીડિયા આ અંગે કોઇ પ્રતિક્રિયા આપે છે કે શું?












Click it and Unblock the Notifications
