ભારય યુએસ વચ્ચે ન્યુક્લિયર ડીલ અંતર્ગત પ્રથમ વ્યાવસાયિક કરાર
વૉશિંગ્ટન, 28 સપ્ટેમ્બર : ભારત અને અમેરિકા અસૈન્ય પરમાણુ કરારના પાંચ વર્ષ બાદ અસૈન્ય પરમાણુ ઉર્જા પર પહેલો વ્યાવસાયિક કરાર શુક્રવારે વૉશિંગ્ટનમાં કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન મનમોહન સિંહની સાથે વાતચીત બાદ પત્રકારોને સંબોધિત કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આ બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે વ્યાવસાયિક કરાર થયો છે.
ઓબામાએ જણાવ્યું કે "અમે અસૈન્ય પરમાણુ ઉર્જાના મુદ્દે જબરદસ્ત પ્રગતિ કરી છે. વાસ્તવમાં અમે અસૈન્ય પરમાણુ ઉર્જા પર એક અમેરિકન કંપની અને ભારતની વચ્ચે વ્યાવસાયિક કરાર કરાવવા માટે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા પ્રયાસોમાં સફળ રહ્યા છીએ."

ભારતની પરમાણુ સંચાલક સંસ્થા એનપીસીઆઇએલ(ભારતીય પરમાણુ ઉર્જા નિગમ લિમિટેડ) અને અમેરિકન કંપની વેસ્ટિંગહાઉસ વચ્ચે આ બાબતે એક દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરારને પગલે ભારતમાં એક પરમાણુ પ્લાન્ટ સ્થાપવામા આવશે.
જે કે ભારતીય કાયદામાં પરમાણુ જવાબદેહી સંબંધિત જોગવાઇ અંગે કોઇ વાતચીત થઇ નથી. જે અંગે અમેરિકાએ અગાઉ આકરા શબ્દોમાં વાંધો ઉઠાવ્યો હતો. ભારતમાં પાછલા સપ્તાહે પરમાણુ જવાબદેહી કાયદાથી સંબંધિત ખબરો અંગે મોટા ઉહાપોહની સ્થિતિ હતી.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
