યુકેમાં ભારતીયોનો ખુલ્લો પત્ર 'નરેન્દ્ર મોદીથી અમે ભયભીત'
લંડન, 23 એપ્રિલ : બ્રિટનની નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે ઓક્સફોર્ડ યુનિવર્સિટી, કેબ્રિજ યુનિવર્સિટી, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ વગેરેમાં કામ કરતા ભારતીય મૂળના 75 પ્રોફેસર્સ અને અન્યોએ આજે લખેલા ખુલ્લા પત્રમાં જણાવ્યું છે કે 'નરેન્દ્ર મોદીના સત્તામાં આવવા મુદ્દે અમે ભયભીત છીએ.'
લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના પ્રોફેસર ચેતન ભટ્ટ અને ગૌતમ અપ્પાએ બ્રિટનમાં ડાબેરી તરફી સમાચાર પત્ર 'ઇન્ડિપેન્ડેન્ટ'માં એક ખુલ્લો પત્ર જાહેર કર્યો છે. આ પત્રમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને નિશાન બનાવાયા છે.

ખુલ્લા પત્રમાં લખવામાં આવ્યું છે કે 'હવે જ્યારે ભારતના લોકો આગામી સરકાર ચૂંટવા માટે મતદાન કરી રહ્યા છે, અમે નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી ભાજપ સરકારથી ભારતની લોકશાહી, બહુમતીવાદ અને માનવઅધિકાર પર પડનારી અસરો અંગે ચિંતિત છીએ.'
આ પત્રના શીર્ષકમાં લખવામાં આવ્યું છે કે 'સત્તામાં નરેન્દ્ર મોદીનો વિચાર અમને ભયભીત કરે છે.' તેમાં આગળ લખ્યું છે કે નરેન્દ્ર મોદી હિન્દુ રાષ્ટ્રવાદી આંદોલન, ખાસ કરીને આરએસએસ અને સંઘ પરિવારમાં રચ્યા પચ્યા રહે છે. તેમનો ઇતિહાસ લધુમતીઓની વિરુદ્ધ હિંસા ભડકાવવાનો રહ્યો છે. તેમાંથી કેટલાક સમુહો નાગરિકોની વિરુદ્ધમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાઓમાં આરોપી થયા છે.
આ પત્રના પહેલા પણ ભારતીય મૂળના લેખક સલમાન રશ્દી અને કલાકર અનિશ કપૂર તથા અન્યોએ આ મહિનાના પ્રારંભમાં પોતાના વિચારો વ્યક્ત કરતો એક ખુલ્લો પત્ર 'ગાર્ડિયન' સમાચાર પત્રને મોકલ્યો હતો.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
