ભારતના મોસ્ટ વૉન્ટેડ, પઠાણકોટ આતંકી હુમલાના માસ્ટર માઈન્ડ લતીફની હત્યા, સિયાલકોટમાં અજ્ઞાત લોકોએ મારી ગોળી
Pathankot Mastermind Rashid Latif Shot Dead: ભારતના મોસ્ટ વૉન્ટેડ આતંકવાદી શાહિદ લતીફની પાકિસ્તાનના સિયાલકોટમાં હત્યા કરવામાં આવી છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટસ અનુસાર, સિયાલકોટમાં આતંકવાદી શાહિદ લતીફને અજાણ્યા લોકોએ ગોળી મારી દીધી છે.
શાહિદ લતીફ ભારતનો મોસ્ટ વૉન્ટેડ આતંકવાદી હતો અને ભારત સરકારની મોસ્ટ વૉન્ટેડ આતંકવાદીઓની યાદીમાં સામેલ હતો. તમને જણાવી દઈએ કે શાહિદ લતીફ એ જ આતંકવાદી છે જેને 2010માં ભારતીય કોંગ્રેસ સરકાર દ્વારા ગુડવિલ મિશન હેઠળ પાકિસ્તાનને પરત સોંપવામાં આવ્યો હતો.

જો કે, બાદમાં તેણે પઠાણકોટ હુમલામાં માસ્ટર માઈન્ડની ભૂમિકા ભજવી હતી. કોંગ્રેસ સરકારે પાકિસ્તાન સાથેના સંબંધો સુધારવા માટે આમ કર્યું હતુ. 55 વર્ષીય આતંકવાદી શાહિદ લતીફ લશ્કર-એ-તૈયબા, હિઝબુલ મુજાહિદ્દીન અને જૈશ-એ-મોહમ્મદના 25 આતંકવાદીઓમાં સામેલ હતો, જેમને મનમોહન સિંહ સરકાર દ્વારા ગુડવિલ મિશન હેઠળ ભારતીય જેલોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.
શાહિદ લતીફ લગભગ 16 વર્ષ સુધી ભારતની જેલમાં કેદ હતો. શાહિદ લતીફ પાકિસ્તાનના ગુંજરાવાલાના અમીનાબાદ શહેરના મોર ગામનો રહેવાસી હતો અને તે ભારતમાં જૈશ-એ-મોહમ્મદનો હેન્ડલર હતો અને તેની જવાબદારી ભારતમાં આતંકવાદીઓની ભરતી કરવાની હતી.
શાહિદ લતીફે સિયાલકોટથી હુમલાનું સંકલન કર્યું હતું અને તેને અંજામ આપવા માટે જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકવાદીઓને પઠાણકોટ મોકલ્યા હતા. શાહિદ લતીફની ભારતમાં નવેમ્બર 1994માં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) હેઠળ આતંકવાદના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેના પર કેસ ચલાવવામાં આવ્યો હતો અને અંતે તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. ભારતમાં તેની સજા ભોગવ્યા પછી, તેને 2010માં વાઘા મારફતે પાકિસ્તાન મોકલવામાં આવ્યો હતો.
લતીફ પર 1999માં ઈન્ડિયન એરલાઈન્સનું વિમાન હાઈજેક કરવાનો પણ આરોપ હતો. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની તપાસમાં કહેવામાં આવ્યું છે કે લતીફ 2010માં છૂટ્યા બાદ પાકિસ્તાનમાં જેહાદી ફેક્ટરીમાં પાછો ગયો હતો. ભારત સરકાર દ્વારા તેને વૉન્ટેડ આતંકવાદી તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો.
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
