તહેવાર: કબર ખોદીને કાઢવામાં આવે છે, લાશો...અને પછી...
દિવાળીના એક દીવસ બાદ એકબીજા પર પથ્થર ફેંકવાના તહેવાર અંગે તો તમે ઘણી વખત સાંભળ્યુ હશે. પરંતુ એક એવો પણ તહેવાર છેકે જેમા દર વર્ષે કબર ખોદીને લાશો કાઢવામાં આવે છે. આ તહેવારમાં લાશોને બહાર કાઢીને સજાવવામાં આવે છે, સારા કપડા પહેરાવીને લાશોને મેકઅપ પણ કરવામાં આવે છે.
ઇન્ડોનેશિયામાં મનાવવામાં આવતા આ તહેવારનું નામ મા નેને ફેસ્ટીવલ છે. આ તહેવારને ટોરાજન જનજાતિના લોકો જ મનાવે છે. આ તહેવારમાં પરિજનો પોતાના મૃત પ્રિયજનોની કબરો ખોદે છે. ત્યારબાદ લાશને સ્નાન કરાવીને કપડા પહેરાવી તેનો સારી રીતે શણગાર કરે છે.
ત્યારબાદ લાશને સામે રાખીને નાચગાન કરવામાં આવે છે. આ પર્વમાં સારૂ ભોજન પણ બનાવવામાં આવે છે. જેને આ લાશોની સામે મૂકીને પ્રસાદની જેમ ગ્રહણ કરવામાં આવે છે. હવે સ્લાઇડરમાં જુઓ આ અજબ ગજબ તહેવારની કેટલીક તસવીરો. આ તસવીરો યુ-ટ્યુબ પરથી લેવામાં આવી છે. સાથે જ આ તહેવાર સાથે જોડાયેલી કેટલીક અજબગજબ વાતો પણ કરવામાં આવી છે.

ટાના ટોરાજાના પર્વતો પર
આ તહેવાર ટાના ટોરાજાના પર્વતો પર ટોરાજન જનજાતિના લોકો મનાવે છે.

મૃતકની આત્માને ખુશી
કહેવામાં આવે છેકે આમ કરવાથી મૃતકની આત્માને ખુશી મળે છે.

100 વર્ષથી મનાવવામાં આવે છે
આ તહેવાર 100થી વધુ વર્ષથી મનાવવામાં આવે છે. દર વર્ષે કબરમાંથી લાશોને કાઢવામાં આવે છે.

બરપ્પુથી થઇ હતી શરૂઆત
કહેવામાં આવે છેકે આ તહેવારની શરૂઆત બરપ્પુ ગામથી થઇ હતી. જ્યારે લાશના આર્શીવાદ લેવા માટે લાશને બહાર કાઢવામાં આવી હતી.

લાશની સાથે લોકો નાચે છે
લાશને સજાવ્યા બાદ લાશને સાથે લઇને લોકો નૃત્ય પણ કરે છે.

લાશને પહેરાવેલા કપડા ખુદ પહેરે છે
તહેવારની પ્રથા પૂરી થયા બાદ લાશને પહેરાવેલા કપડા લોકો પહેરે છે.

લાશના કપડા, હાર-શ્રૃંગાર આર્શિવાદ સમાન છે
લોકો માને છે કે પ્રિયજનોની લાશને પહેરાવેલા કપડા અને હાર-શ્રૃંગાર આર્શિવાદ છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
