ઈસ્લામિક સ્ટેટે લીધી પાકિસ્તાનમાં મસ્જિદ વિસ્ફોટની જવાબદારી, હુમલામા અત્યાર સુધી 57ના મોત, 200 ઘાયલ
ઈસ્લામિક સ્ટેટ(આઈએસ)એ પાકિસ્તાનના પેશાવર શહેરમાં એક મસ્જિદમાં વિસ્ફોટની જવાબદારી લીધી છે.
ઈસ્લામાબાદઃ ઈસ્લામિક સ્ટેટ(આઈએસ)એ પાકિસ્તાનના પેશાવર શહેરમાં એક મસ્જિદમાં વિસ્ફોટની જવાબદારી લીધી છે. જેમાં 50થી વધુ લોકોના જીવ જતા રહ્યા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ મીડિયા રિપોર્ટના હવાલાથી આ સમાચાર આપ્યા છે. શુક્રવારે(4 માર્ચ) પેશાવરમાં મસ્જિદ પાસે બે આતંકવાદીઓએ પોલિસ અધિકારીઓ પર ગોળીઓ ચલાવી દીધી હતી ત્યારબાદ એમાંથી એકે બિલ્ડિંગમાં ઘૂસીને ધમાકો કર્યો. આ હુમલામાં અત્યાર સુધી 57 લોકોના મોત થઈ ગયા છે અને 200થી વધુ ઘાયલ થઈ ગયા છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંતોનિયો ગુતારેસે શુક્રવારે આત્મઘાતી વિસ્ફોટની નિંદા કરીને કહ્યુ કે, 'પૂજાા ઘર પનાહગાહ હોવા જોઈએ, બૉમ્બ ધમાકાના લક્ષ્ય નહિ.' સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખ એંતોનિયો ગુટારેસે ટ્વિટ કર્યુ, 'હું પાકિસ્તાનના પેશાવરમાં શુક્રવારની નમાઝ દરમિયા થયેલ ભીષણ હુમલાની નિંદા કરુ છુ. પોતાના પ્રિયજનોને ગુમાવનારા પ્રત્યે મારી સંવેદના અને પાકિસ્તાનના લોકો સાથે મારી એકજૂટતા છે.'
પાકિસ્તાનના માનવાધિકાર આયોગ(એચઆરસીપી)એ શુક્રવારે આત્મઘાતી વિસ્ફોટની આકરી નિંદા કરી, જેનો ઉદ્દેશ્ય શિયા ઉપાસકોને નિશાન બનાવવાનો હતો. એચઆરસીપીએ એક નિવેદનમાં કહ્યુ, 'હુમલો સ્પષ્ટ રીતે શિયા ઉપાસકોને લક્ષિત કરવાના ઈરાદાથી કરવામાં આવ્યો હતો અને એ સાંપ્રદાયિક સંગઠનોની ઓળખ છે જેમણે હાલના વર્ષોમાં પરસ્પર લડવાની અનુમતિ આપવામાં આવી છે.'
રેડિયો પાકિસ્તાને શુક્રવારે જણાવ્યુ કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને પેશાવર વિસ્ફોટની ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. તમને જણાવી દઈએ કે શુક્રવારે એક શિયા મસ્જિદમાં વિસ્ફોટ થયો હતો જેમાં 56 લોકોના મોત થઈ ગયા અને 200 અન્ય ઘાયલ થયા. લેડી રીડિંગ હૉસ્પિટલ(એલઆરએચ)ના પ્રવકતા મોહમ્મદ આસિમે ઘાયલોની સંખ્યાની પુષ્ટિ કરી અને કહ્યુ કે અમુક ઘાયલોની હાલત ગંભીર છે.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
