Israel-Hamas War : ભારત હમાસને આતંકી સંગઠન કેમ જાહેર નથી કરી રહ્યું? આ છે કારણ
એક તરફ આતંકી સંગઠન હમાસના હુમલો અને બીજી તરફ ઇઝરાયેલી સેનાની વળતી કાર્યવાહીને કારણે ગાઝાના નિર્દોષ લોકો યુદ્ધનો ભોગ બની રહ્યા છે. આ કાર્યવાહી વચ્ચે તમને જણાવી દઈએ કે ભારત હમાસને આતંકી સંગઠન નથી માનતુ.
ગાઝામાં ઇઝરાયલ સેનાના નરસંહાર વચ્ચે ભારત દ્વારા હમાસ પર પ્રતિબંધ મુકવા મુદ્દે કોઈ સમાચારો નથી. અહેવાલોનું માનીએ તો ભારતની આ મુદ્દે કોઈ તૈયારી નથી. માત્ર સરકાર સ્થિતી પર નજર રાખી રહી છે.

જણાવી દઈએ કે, અહેવાલોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે હમાસના ઇઝરાયેલ પરના હુમલાને ભારતમાં ઘણા લોકો જેહાદની જીત તરીકે જોઈ રહ્યા છે. આ ભારત સરકાર માટે મોટા સંકેત છે.
એક અહેવાલમાં ભારતના ટોચના અધિકારીને ટાંકીને કહેવાયુ છે કે, બદલો, ઉજવણી અને જેહાદમાં યોગદાન, આ બધું સુરક્ષા કર્મચારીઓ માટે ચિંતાના સંકેતો છે.
ભારતના મોટાભાગના મુસ્લિમો ઇઝરાયેલ-પેલેસ્ટાઇન મુદ્દા અને નિર્દોષ નાગરિકો પર હમાસના હુમલા વચ્ચે તફાવત કરી શકતા નથી. પેલેસ્ટાઇન પર તેની અસરને સમજ્યા વિના તે તેને મુસ્લિમ ભાઈચારાની જીત તરીકે જોવે છે.
સૂત્રો અનુસાર, ભારત સ્થિતિ પર કાળજીપૂર્વક દેખરેખ રાખી રહ્યું છે અને મુસ્લિમ જૂથો હાલ આ મુદ્દે મૌન રાખી રહ્યા છે પરંતુ સંકેતો બહુ સકારાત્મક નથી.
સૂત્રો અનુસાર, પ્રથમ વખત પેલેસ્ટિનિયન જૂથોએ ઇઝરાયેલમાં હુમલો કર્યો છે અને આ યુવાનો અને આતંકવાદી જૂથોના મગજમાં ગંભીર વિચારો છોડશે. એજન્સીઓ માટે સૌથી મોટી ચિંતા એ છે કે ઇઝરાયેલમાં હુમલો બહારથી થયો છે.
જો ભારતમાં આવા હુમલાનું પુનરાવર્તન થશે તો તે અંદરથી જ હશે, કારણ કે આપણી પાસે પહેલેથી જ મોટી સંખ્યામાં કટ્ટરપંથી કાશ્મીરી આતંકવાદીઓ પાકિસ્તાની હથિયારો સાથે બેઠા છે.
પેલેસ્ટાઇન મુદ્દા પર ભારતની વિવિધ મસ્જિદોમાં નમાજ પણ યોજવામાં આવી પરંતુ કોઈએ જાહેર કર્યું નથી કે હમાસનો હુમલો માનવતા વિરુદ્ધ હતો.
સૂત્રો અનુસાર, ભારત સરકારની હાલમાં હમાસ પર પ્રતિબંધો લાદવાની કોઈ યોજના નથી, કારણ કે આતંકવાદી સંગઠન યુએન પ્રતિબંધોની સૂચિમાં નથી, જેનું ભારત સામાન્ય રીતે પાલન કરે છે.
આ સિવાય હમાસને ભારતમાં પ્રતિબંધિત કરવા માટે તેને UAPA હેઠળ પ્રતિબંધિત કરવાની જરૂર છે. આના માટે ભંડોળ, ભરતી અને કામગીરી ભારતીય ક્ષેત્રની અંદર થવી જોઈએ અને હમાસ ભારતમાં આવી કોઈ પ્રવૃત્તિઓ કરી નથી.
જો કે, કેરળમાં હમાસ નેતાઓના વર્ચ્યુઅલ એડ્રેસે સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દીધી છે, તેથી હમાસના સમર્થનમાં થઈ રહેલી ગતિવિધિઓ સામે કડક તકેદારી રાખવામાં આવી રહી છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
