ઇઝરાયલ-ફિલિસ્તાનમાં સંઘર્ષને લઇ જમ્મુ કાશ્મીરમાં ચેતવણી, 20 લોકો ગિરફ્તાર
ઇઝરાઇલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને ઇઝરાયલ સતત પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ પર હવાઈ હુમલો કરી રહ્યું છે. શનિવારે, ઇઝરાઇલી ફોર્સે હમાસના ઘણાં બેઝ નાશ કરી દીધા હતા, જ્યારે ઇમારાઇલી દળ દ્વારા હમાસના મુખ
ઇઝરાઇલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને ઇઝરાયલ સતત પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ પર હવાઈ હુમલો કરી રહ્યું છે. શનિવારે, ઇઝરાઇલી ફોર્સે હમાસના ઘણાં બેઝ નાશ કરી દીધા હતા, જ્યારે ઇમારાઇલી દળ દ્વારા હમાસના મુખ્ય નેતાના નિવાસસ્થાનને ઉડાવી દેવામાં આવ્યુ હતુ. ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચેની પરિસ્થિતિ જેનો ધુમાડો હજારો કિલોમીટર દૂર ભારતના કાશ્મીરમાં જોવા મળી રહ્યો છે. જેના માટે જમ્મુ-કાશ્મીર પોલીસે કડક ચેતવણી આપી છે અને પોલીસે કહ્યું છે કે જે પણ કાયદો તોડવાનો પ્રયાસ કરશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
કાશ્મીરમાં ઉપદ્રવ નહી ચલાવાય
જમ્મુ-કાશ્મીર પોલીસે કડક ચેતવણી આપી છે કે જે જમ્મુ અને કાશ્મીરની શાંતિ બગાડવાનો પ્રયાસ કરશે તેની સામે પોલીસ કડક કાર્યવાહી કરશે. જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું છે કે સોશ્યલ મીડિયાથી લઈને દરેક સંવેદનશીલ સ્થળો પર તેની નજર છે અને જે લોકો કાશ્મીરનો કાયદો બગાડવાનો પ્રયત્ન કરે છે તેમને કોઈ પણ સંજોગોમાં સાંખી લેવામાં આવશે નહીં. જમ્મુ-કાશ્મીર પોલીસે એક નિવેદન બહાર પાડતા કહ્યું છે કે 'ઇઝરાઇલ-પેલેસ્ટાઇન વચ્ચેના યુદ્ધને કારણે કેટલાક લોકો ખીણમાં જાહેર સલામતી અને શાંતિ બગાડવા માગે છે, જે સ્વીકાર્ય નથી'. હકીકતમાં, ઇઝરાયલી સેના ગાઝામાં આતંકવાદી સંગઠન હમાસ વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહી છે અને અહેવાલ મુજબ, જમ્મુ-કાશ્મીરમાં કેટલાક તત્વો વિરોધ પ્રદર્શન નોંધાવી શકે છે.
જમ્મુ-કાશ્મીર પોલીસને સંપૂર્ણ તૈયારી કરી
જમ્મુ-કાશ્મીર પોલીસે એક નિવેદન બહાર પાડતા કહ્યું છે કે 'અમે એક પ્રોફેશનલ દળ છીએ અને અમે લોકોની સમસ્યાઓ અને તેમની પીડા પ્રત્યે સંવેદનશીલ છીએ. જમ્મુ કાશ્મીરની શાંતિ અને સલામતી જાળવવી એ આપણી જવાબદારી છે. કેટલાક લોકો ઇઝરાયલ-પેલેસ્ટાઇન વિવાદનો લાભ લેવાની માંગ કરી રહ્યા છે અને અમે તેમના માટે ચેતવણી આપી રહ્યા છીએ. ' જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું કે અમે કોઈ પણ રીતે જમ્મુ-કાશ્મીરની સડકો પર હિંસા અને અરાજકતાને ચાલવા નહીં દઈશું. જમ્મુ-કાશ્મીર પોલીસે પોતાના નિવેદનમાં કહ્યું છે કે પોતાનો મત વ્યક્ત કરવો અને શેરીઓમાં હિંસા ભડકાવવી એ અલગ બાબત છે અને જમ્મુ-કાશ્મીર પોલીસ દરેક પરિસ્થિતિ માટે તૈયાર છે. જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું કે 'લોકોને તેમની વાત બોલવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે, પરંતુ કોરોના વાયરસને કારણે રેલીઓ પર હજી પણ કડક પ્રતિબંધ છે. કોવિડ -19 ને કારણે દેશના અન્ય ભાગો તરફ જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પણ ઘણી ખરાબ છે.
સોશિયલ મીડિયા પર નજર
જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું છે કે તેઓ સોશિયલ મીડિયા પર પણ નજર રાખી રહ્યા છે. તે જ સમયે, શ્રીનગર પોલીસે કોરોના માર્ગદર્શિકાના ભંગ બદલ 20 લોકોની ધરપકડ કરી છે. અહેવાલ મુજબ શ્રીનગરમાં બે રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ પોલીસે ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ સોશ્યલ મીડિયા પર પણ નજર રાખી રહ્યા છે અને કોઈપણ પ્રકારના ઉશ્કેરણીજનક પોસ્ટ પર કાર્યવાહી કરવામાં આવશે.
આ
પણ
વાંચો:
મજબૂત
થઈ
ગુજરાત
તરફ
આગળ
વધી
રહ્યું
છે
વાવાઝોડું
'તૌકતે',
56
ટ્રેન
રદ