કટાસરાજ મંદિરઃ જાણો પાકિસ્તાનની એ જગ્યા વિશે જેને કહે છે ‘શિવ નેત્ર'
કટાસરાજ, પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં છે અને તે ભગવાન શિવનું પ્રાચીન મંદિર છે.
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને કહ્યુ છે કે કરતારપુર કૉરિડોર બાદ અહીં સ્થિત હિંદુઓ માટે મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળો ખોલવા પર વિચાર કરી રહ્યા છે. ભારતીય મીડિયા સાથે વાતચીત કરતા ઈમરાને પોતાના નિવેદનમાં પીઓકેમાં સ્થિત શારદા પીઠ અને પંજાબ પ્રાંતમાં સ્થિત કટાસરાજ મંદિરનો ઉલ્લેખ કર્યો. કટાસરાજ, પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં છે અને તે ભગવાન શિવનું પ્રાચીન મંદિર છે. આ મંદિરનો ઉલ્લેખ મહાભારત કાળમાં પણ મળે છે. આ મંદિરને હિંદુ ધર્મમાં ખૂબ પવિત્ર માનવામાં આવે છે.

અહીં પડ્યા હતા શિવના આંસુ
કટાસરાજ મંદિર પંજાબ પ્રાંતના ઉત્તરમાં સ્થિત નમકકોહની પહાડીઓમાં સ્થિત છે અને હિંદુઓનું પ્રસિદ્ધ તીર્થ સ્થળ છે. અહીં એક પ્રાચીન શિવ મંદિર ઉપરાંત બીજા પણ મંદિર છે. કહેવાય છે કે આ બધા મંદિર 10મી સદીના છે. ઈતિહાસકારો તેમજ પુરાતત્વ વિભાગ અનુસાર જગ્યાને શિવ નેત્ર માનવામાં આવે છે. ઈતિહાસકારો મુજબ જ્યારે માતા પાર્વતી સતી થયા ત્યારે ભગવાન શિવની આંખોમાંથી આંસુ ટપક્યા હતા. માન્યતાઓ અનુસાર એક આંસુ કટાર પર ટપક્યુ જ્યાં અમૃત બની ગયુ. અહીં આજે પણ મહાન સરોવર અમૃત કુંડ તીર્થ સ્થળ કટાસરાજ રૂપે છે. કહેવાય છે કે બીજુ આંસુ રાજસ્થાનના અજમેર અને પુષ્કરમાં ટપક્યુ હતુ.

શું છે મહાભારત સાથે આનો સંબંધ
એવી પણ કથા છે કે મહાભારતમાં પાંડવ વનવાસના દિવસોમાં આ જ પહાડોમાં અજ્ઞાતવાસમાં રહ્યા હતા. જ્યારે પાંડવ અજ્ઞાતવાસના રસ્તે હતા ત્યારે તેમને તરસ લાગી અને તે પાણીની શોધમાં અહીં સુધી પહોંચી ગયા હતા. આ કુંડ પર યક્ષનો અધિકાર હતો. સૌથી પહેલા નકુલ પાણી લેવા ગયા અને જ્યારે તે પાણી પીવા લાગ્યા તો યક્ષે અવાજ પી. તેમણે કહ્યુ કે પાણી પર તેમનો અધિકાર છે અને તે આ પીવાની કોશિશ ન કરે. યક્ષે નકુલને કહ્યુ કે જો તે પાણી લેવુ હોય તો પહેલા તેમના પ્રશ્નોના ઉત્તર આપવા પડશે. નકુલ સાચા જવાબ આપી ન શક્યા અને પાણી પીવા લાગ્યા. યક્ષે તેને બેભાન કરી દીધા.

યુધિષ્ઠિરે અહીં જ આપ્યા યક્ષને સાચા જવાબ
આ રીતે સહદેવ, અર્જૂન અને ભીમ એક એક કરીને પાણી લેવા ગયા. કોઈ પણ યક્ષના સવાલોના જવાબ આપી શક્યુ નહિ અને ખોટા જવાબ બાદ પણ તેમણે પાણી લેવાની કોશિશો કરી. યક્ષે ચારે ભાઈઓને બેભાન કરી દીધા. છેલ્લે અંતમાં ચારે ભાઈઓને શોધીને સૌથી મોટા ભાઈ યુધિષ્ઠિર, કુંડની નજીક પહોંચ્યા અને તેમણે પોતાના ભાઈઓને બેભાન જોઈને પૂછ્યુ કે તેમને જેમણે પણ બેભાન કર્યા છે તે સામે આવે. યક્ષ પ્રગટ થયા અને તેમણે કહ્યુ કે ચારે ભાઈઓએ તેમના સવાલોના જવાબ આપ્યા વિના પાણી પીવાની કોશિશ કરી અને તેમના આ હાલ થયા. યક્ષે કહ્યુ કે જો યુધિષ્ઠિરે પણ એવુ કર્યુ તો તેમને પણ બેભાન કરી દેવામાં આવશે. આના પર યુધિષ્ઠિર યક્ષના સવાલોના જવાબ આપવા માટે રાજી થયા. યુધિષ્ઠિરના દરેક સવાલનો સાચો જવાબ આપ્યો અને યક્ષે પ્રસન્ન થઈને પાંડવોને જીવિત કરી દીધા. ત્યારબાદ પાંડવ પોતાની જગ્યાએ જતા રહ્યા.
-
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
