ક્યાં સુધી ધબકતું રહેશે હૃદય, બતાવશે 'ડેથ ટેસ્ટ'

ધ સંડે ટાઇમ્સના અહેવાલમાં કહેવામાં આવ્યુંછે કે, આ ટેસ્ટ થકી કોઇ વ્યક્તિની સ્કિનમાં એક ડિવાઇસની મદદથી દર્દ રહિત લેસર પ્લસ દાખલ કરવામાં આવે છે. આ લેસર પ્લસ એન્ડોથિલિયલ સેલ્સનું વિશ્લેષણ કરીને જણાવે છે કે, આ વ્યક્તિની બોડી, ઉમર અનુસાર કેટલી કમજોર થતી જશે.
એન્ડોથિલિયલ સેલ્સ લોહીની નાની ધમનીઓની દિવાલ બનાવે છે અને શરીરના કોઇપણ ભાગમાં થતી જટિલ ગતિવિધિઓ પર પ્રતિક્રિયા આપે છે. આ સેલ્સની અંદર થનારી ગતિવિધિઓથી માહિતી મેળવીને મોત પહેલાના સમયની ગણતરી કરી શકાય છે. આ ટેસ્ટ કેન્સર અને ડિમેંશિયાની જાણકારી પણ આપી શકે છે.












Click it and Unblock the Notifications
