અફઘાનિસ્તાનના કાબુલમાં મોટો બોમ્બ ધમાકો, 5ના મોત, 50થી વધુ ઘાયલ
અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલય તરફથી નિવેદન જારી કરીને કહેવામાં આવ્યુ છે કે ધમાકામાં 5 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે.
અફઘાનિસ્તાનમાં સોમવારે મોડી રાતે મોટા બોમ્બ ધમાકાના સમાચાર આવ્યા છે. અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલય તરફથી નિવેદન જારી કરીને કહેવામાં આવ્યુ છે કે ધમાકામાં 5 લોકોના મોત નીપજ્યા છે જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે. આ દૂર્ઘટના કાબુલના પીડી9માં થયો હતો જેમાં પેટ્રોલ પંપ પર આગ લાગી ગઈ હતી. જણાવવામાં આવી રહ્યુ છે કે ગોળીબારના અવાજ બાદ ઘણો મોટો ધમાકો થયો. માહિતી અનુસાર આ ધમાકો એવી જગ્યાએ થયો જ્યાં ઘણા આંતરરાષ્ટ્રીય સંગઠનોના કાર્યલય સ્થિત છે. અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયના પ્રવકતા નસરત રહેમીએ જણાવ્યુ કે આ ધમાકો ગ્રીન વિલેજ પાસે થયો છે. ધમાકા બાદ આસપાસના વિસ્તારોને સંપૂર્ણપણે ઘેરી લેવામાં આવ્યા છે.

માહિતી અનુસાર આ હુમલાની જવાબદારી તાલિબાને લીધી છે. જોવાની વાત એ છે કે અફઘાનિસ્તાનની સેનાએ થોડા દિવસો અગાઉ તાલિબાન સામે મોટી કાર્યવાહી કરી હતી. જેમાં અફઘાની સેનાએ તાલિબાનના એક મુખ્ય કમાંડર સહિત 35 લોકોને મારી દીધા હતા. આ પહેલા અફઘાનિસ્તાનના જલાલાબાદમાં આતંકી હુમલો થયો હતો. આ આતંકી હુમલો સ્વતંત્રતા દિવસે થયો હતો જેમાં 66 લોકો ઘાયલ થયા હતા. જેના કારણે અફઘાનિસ્તાને સ્વતંત્રતા દિવસના સમારંભને ટાળી દીધો હતો.
સ્વતંત્રતા દિવસ પર થયેલા આતંકી હુમલા બાદ રાષ્ટ્રપતિના પ્રવકતા સેદિક સિદ્દીકીએ કહ્યુ હતુ કે સચિવાલયે રાષ્ટ્રપતિ મોહમ્મદ અશરફ ગનીના નિર્દેશ પર અફઘાનિસ્તાનના સ્વતંત્રતા દિવસના સમારંભને ટાળી દીધો છે. હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે રાષ્ટ્રપતિએ પોતાની સંવેદના વ્યક્ત કરી હતી. આ દૂર્ઘટનામાં જે લોકો માર્યા ગયા હતા તેમના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માટે સ્વતંત્રતા દિવસના કાર્યક્રમને સ્થગિત કરી દેવામાં આવ્યો હતો.
#UPDATE The Interior Ministry’s spokesman Nusrat Rahimi says the area of the car bomb explosion in Kabul's PD9 has been cordoned off by police and that a fuel station in the area has caught fire: TOLOnews https://t.co/BbsY2gmnKE
— ANI (@ANI) 2 September 2019
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
