ભાગેડુ મેહુલ ચોક્સી પર ડોમિનિકા કોર્ટમાં આજે સુનાવણી, થઈ શકે છે પ્રત્યાર્પણનો નિર્ણય
ભાગેડુ વેપારી મેહુલ ચોક્સીને ભારત પ્રત્યાર્પિત કરવામાં આવે કે નહિ તેના પર આજે ડોમિનિકા કોર્ટમાં સુનાવણી થશે.
નવી દિલ્લીઃ ભાગેડુ વેપારી મેહુલ ચોક્સીને ભારત પ્રત્યાર્પિત કરવામાં આવે કે નહિ તેના પર આજે ડોમિનિકા કોર્ટમાં સુનાવણી થશે. સુનાવણી દરમિયાન ભારત તરફથી તર્ક રાખવામાં આવશે કે મેહુલ ચોક્સી હજુ પણ ભારતનો નાગરિક છે અને તેની ભારતીય નાગરિકતા હજુ ખતમ નથી થઈ માટે તેને ભારતને સોંપવામાં આવે. એંટીગુવાની નાગરિકતા મેળવવા છતાં હજુ પણ મેહુલ ચોક્સીએ ભારતની નાગરિકતા છોડી નથી. વાસ્તવમાં મેહુલ ચોક્સી પર પંજાબ નેશનલ બેંક સાથે 14,0000 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ છે. આ મામલે તેની સામે ભારતમાં પણ કેસ ચાલી રહ્યા છે. કેસની સુનાવણી માટે ભારત તરફથી 8 સભ્યોની ટીમ ડોમિનિકા પહોંચી છે જેથી ચોક્સીને પ્રત્યાર્પિત કરીને ભારત લાવી શકાય.

ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે નાગરિકતા કાયદો 2009ની કલમ 23 અનુસાર ભારતીયએ પોતાની નાગરિકતા છોડવી જરૂરી હોય છે અને ગૃહ મંત્રાલયે આની મંજૂરી આપવાની હોય છે. મેહુલ ચોક્સીના કેસમાં હજુ આ પ્રક્રિયાને પૂરી કરવામાં આવી નથી. નાગરિકતાને ત્યાગવા માટે વ્યક્તિએ ચોક્કસ અધિકારી સામે આ અંગેની ઘોષણા કરવાની હોય છે, દસ્તાવેજોની પુષ્ટિ કરવાની હોય, ત્યારબાદ જ પ્રક્રિયા પૂરી થાય છે. એવામાં આજે થનારી સુનાવણી દરમિયાન ભારત એ વાતને પૂરજોરથી કોર્ટમાં રજૂ કરશે કે એંટીગુવાની નાગરિકતા મેળવવા છતાં મેહુલ ચોક્સી હજુ પણ ભારતનો જ નાગરિક છે.
વળી, મેહુલ ચોક્સીની ટીમનો દાવો છે કે નાગરિકતાના નવા નિયમ ભારતના બંધારણને અલગ ન કરી શકે. ચોક્સીના વકીલનુ કહેવુ છે કે બંધારણનુ અનુચ્છેદ 9 કહે છે કે જો કોઈ પણ ભારતીય બીજા દેશની નાગરિકતા માટે આવેદન કરે તો તે સ્વતઃ ભારતની નાગરિકતા ગુમાવી દે છે. માટે ભારતની અરજીનો કોઈ આધાર નથી. રિપોર્ટ અનુસાર ઈડી પણ આજે ડોમિનિકાની કોર્ટમાં અપીલ દાખલ કરશે કે ચોક્સીને પ્રત્યાર્પિત કરવામાં આવે. આ અરજીમાં મુખ્ય રીતે ચોક્સી દ્વારા ભારતમાં કરાયોલ ગુનાના પુરાવા હશે. આ સાથે જ ઈડી કોર્ટને જણાવશે કે ઘણી નોટિસ મોકલ્યા બાદ પણ ચોક્સી તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. તેના દક્ષિણ મુંબઈના સરનામે નોટિસ મોકલવામાં આવી છે અને આ જ સરનામુ તેના પાસપોર્ટ પર પણ છે.
-
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11







Click it and Unblock the Notifications
