મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ પર કોર્ટે 2 જૂન સુધી લગાવી રોક, 5 દિવસ માટે હોટલમાં કરવામાં આવશે ક્વૉરંટાઈન
પીએનબી કૌભાંડના આરોપી અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીના કેસમાં ઈસ્ટર્ન કેરેબિયન સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ.
નવી દિલ્લીઃ પીએનબી કૌભાંડના આરોપી અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીના કેસમાં ઈસ્ટર્ન કેરેબિયન સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. ડોમિનિકાની અદાલતે હાલમાં મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ પર રોક લગાવી દીધી છે. આ કેસની આગલી સુનાવણી 2 જૂન, 2021ના રોજ થશે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યુ કે હેબિયસ કૉર્પ્સ અરજીની સુનાવણી થવા સુધી મેહુલ ચોક્સીને ક્યાંય પણ મોકલવામાં નહિ આવે. કેસની આગામી સુનાવણી સુધી તેણે અહીં જ રહેવુ પડશે. સૂત્રોના જણાવ્યા મુજબ મેહુલ ચોક્સીને હાલમાં જેલમાં નહિ રાખવામાં આવે. મેહુલ ચોક્સીને કોઈ હોટલમાં 5 દિવસ માટે ક્વૉરંટાઈન કરવામાં આવશે પરંતુ તે કડક પહેરા અને કેમેરાના નિરીક્ષણમાં રહેશે.

આ સાથે જ કોર્ટે મેહુલ ચોક્સીને પોતાના વકીલોને મળવાની અનુમતિ આપી દીધી છે. આ ઉપરાંત મેડિકલ સુવિધાઓ, કોવિડ-19 તપાસ માટે પણ ચોક્સીને અનુમતિ આપવામાં આવી છે. હવે આ પાંચ દિવસ બાદ જ મેહુલ ચોક્સીને એંટીગુઆ અને બારબુડા પાછા મોકલવાની આશા છે.
સુનાવણીમાં વ્યક્તિગત રીતે શામેલ નથી થયા મેહુલ ચોક્સી
ડોમિનિકાઈ કોર્ટે મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ પર હાલમાં રોક લગાવી દીધી છે કારણકે ચોક્સીના વકીલોએ ત્યાં બંદી પ્રત્યક્ષીકરણ અરજી દાખલ કરી છે. વકીલોએ કોર્ટમાં કહ્યુ છે કે મેહુલ ચોક્સીને કાયદાની અધિકારોતી વંચત કરવામાં આવ્યા છે. કોર્ટની સુનાવણીમાં મેહુલ ચોક્સી વ્યક્તિગત રીતે શામેલ નથી થયા, તેની જગ્યાએ તેના વકીલ શામેલ હતા. કોર્ટે આ કેસની સુનાવણી દરમિયાન કેમેરાની મંજૂરી નથી આપી.
અપહરણવાળી વાતથી એંટીગુઆ-બારબુડાનો ઈનકાર
એંટીગુઆ અને બારબુડાના પોલિસ પ્રમુખ એટલી રૉડને શુક્રવારે(28 મે) એ વાતથી સ્પષ્ટ ઈનકાર કરી દીધો કે મેહુલ ચોક્સીનુ પોલિસે અપહરણ કર્યુ હતુ. તેમણે કહ્યુ કે અમને અત્યાર સુદી આ વાતની કોઈ માહિતી મળી નથી કે મેહુલ ચોક્સીને એંટીગુઆથી બળજબરી હટાવવામાં આવ્યો હતો કે તેનુ અપહરણ કરવામાં આવ્યુ હતુ. 25 મે, 2021ના રોજ મેહુલ ચોક્સી કથિત રીતે એંટીગુઆથી ગુમ થઈ ગયો હતો ત્યારબાદ તે ડોમિનિકામાં મળ્યો હતો.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
