પાકિસ્તાનના રાવલપિંડીમાં પ્લેન ક્રેશ, 15 લોકોની મૌત
પાકિસ્તાનના રાવલપિંડીમાં મોટી વિમાન દુર્ઘટના સામે આવી છે. અહીં એક નાનું વિમાન ક્રેશ થઇ ગયું છે, જેમાં 15 લોકોના માર્યા ગયાની ખબર છે.
પાકિસ્તાનના રાવલપિંડીમાં મોટી વિમાન દુર્ઘટના સામે આવી છે. અહીં એક નાનું વિમાન ક્રેશ થઇ ગયું છે, જેમાં 15 લોકોના માર્યા ગયાની ખબર છે. આ દુર્ઘટનામાં વિમાનના બે પાયલોટના માર્યા ગયાની પણ ખબર છે. સેના ઘ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવી રહ્યું છે કે આ વિમાનમાં પાંચ જવાનો પણ હતા, જેમની ક્રેશમાં મૌત થઇ છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમનો ઉપચાર ચાલી રહ્યો છે.

ઇમરજન્સી સર્વિસના વડા ફારૂક ભટ્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આ વિમાન દુર્ઘટનામાં સેનાના જવાનો પણ માર્યા ગયા છે. હોસ્પિટલમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. તેમને જણાવ્યું કે દુર્ઘટનામાં 20 લોકો ઘાયલ થયા છે. ભટ્ટ ઘ્વારા જણાવવામાં આવ્યું કે રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. મરનાર લોકોની સંખ્યામાં વધારો થઇ શકે છે. ઘણા લોકોની હાલત ગંભીર છે.












Click it and Unblock the Notifications
