મોદીને વિઝા ના આપવા જોઇએ: અમેરિકન અધિકારી
વોશિંગ્ટન, 16 ઑગસ્ટ : અમેરિકાની એક અધિકારીએ જણાવ્યું કે ગુજરાતમાં 2002માં થયેલા રમખાણોમાં ત્યાંના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ભૂમિકાને લઇને શંકા વ્યક્ત કરી છે અને તેમને અમેરિકાના વિઝા નહીં આપવા જણાવ્યું છે.
ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીનું નામ બોલાતા અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પંચના ઉપાધ્યક્ષ કૈટરિના લૈંટોસ સ્વેટે ન્યૂયોર્ક ટાઇમ્સને જણાવ્યું કે દેશની બહાર અથવા કોઇ વ્યક્તિની આમા કોઇ ભૂમિકા નથી કે ભારતના હવે પ્રધાનમંત્રી કોણ હોવા જોઇએ. પરંતુ મારુ માનવું છે કે ભારતના લોકોએ એ વાત પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ કે કોણ પ્રધાનમંત્રી બનવા માંગે છે.
જ્યારે તેમને કહેવામાં આવ્યું કે ભારતીય કોર્ટમાં મોદીની સામે 2002ના રમખાણોની ભૂમિકાનું કોઇ સાક્ષી મળ્યું નથી, તો તેમણે જણાવ્યું કે ચોક્કચપણે આપણી ન્યાય વ્યવસ્થામાં આપ દોષીના સાબિત થતા હોય , પરંતુ નિર્દોષ કહેવાની સ્થિતિ પણ નથી. આ ઘટનાઓના સંદર્ભમાં આપણે આપણા કાયદાનું પાલન કરવું જોઇએ જેના કારણે આપણે તેમને વિઝા ના આપવા જોઇએ.