For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

650 કરતા વધું બંધકો અલ્જીરિયામાં છોડાવાયા

By Super
|
Google Oneindia Gujarati News

Algerian
એન એમેનાસ, 20 જાન્યુઆરીઃ અલ્જીરીયન આર્મી દ્વારા 650 જેટલા બંધકોને છોડાવવામાં આવ્યા છે. જેમને ઇસ્લામિક ગનમેન્સ દ્વારા એન એમેનાસ ગેસ પ્લાન્ટ પાસે બંધક બનાવીને રાખવામાં આવ્યા હતા. જેમાં 19 બંધકો અને 29 ઇસ્લામીક આંતકવાદીઓના મોત નીપજ્યા હોવાનું સમાચાર એજન્સીનું કહેવું છે.

સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે, અંદાજે 650 જેટલા લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. જેમાં 573 જેટલા અલ્જીરીયન અને 132 કરતા પણ વધું વિદેશીઓ હતા. જેમને મુક્ત કરાવવામાં સફળતાં મળી છે.

અલ્જીરીયાના અધિકારીઓએ પહેલા એવું અનુમાન લાગવ્યું હતું કે એન એમેનાસ સ્થિત આ પરિસર પર બુધવારે અંદાજે કેટલાક આતંકવાદીઓએ કબ્જો કર્યો હતો અને જેમાંના 29 માર્યા ગયા હતા.

આ સંયંત્ર સંયુક્ત રીતે બીપી, નોર્વેની સ્તાતોઇલ અને અલ્જીરીયાની સરકારી તેલ કંપની દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યું છે. આતંકવાદીઓએ બુધવારે સવારે સંયંત્ર પર હુમલો કર્યો હતો. આ ગતિરોધે આ વિસ્તારમાં આતંકવાદનો પ્રભાવ હોવાનું અને અલકાયદા સાથે જોડાયેલા સમૂહોમાં માલીથી લઇને લીબિયા સુધીના વિસ્તારોમાં મુક્ત રીતે ફરતા હોવાની વાતને ઉજાગર કર્યું છે.

English summary
The Algerian armys rescue operation has reportedly freed more than 650 hostages, who had been seized by Islamist gunmen at the In Amenas gas plant, the country's media said on Friday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X