For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવાઝ શરીફે ફરી આલાપ્યો કાશ્મીર રાગ

|
Google Oneindia Gujarati News

કરાચી, 15 ઓગષ્ટ: પાકિસ્તાનના સ્વતંત્ર દિવસ પર વડાપ્રધાન નવાઝ શરીફે પરંપરાગત રીતે જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે, જેને રાજનૈતિક ક્ષેત્રે ગંભીરતાથી નથી લેવાઇ રહ્યું. આ રાજનૈતિક સૂત્રોએ નવાઝ શરીફના નિવેદન પર ટિપ્પણી કરતા જણાવ્યું કે જમ્મુ-કાશ્મીર તો તણાવનું મૂળ છે તો તેનો હલ શાંતિપૂર્વક વાતચીતથી આવી શકે છે, જેના માટે પાકિસ્તાને યોગ્ય માહોલ બનાવવું પડશે.

ભારતે પહેલા પણ સ્પષ્ટ કરી દીધું છે કે જમ્મુ-કાશ્મીર સહિત તમામ મામલાઓ પર વાત કરવા માટે તૈયાર છે, પરંતુ શાંતિ અને સદભાવનાના વાતાવરણમાં જ સંભવ બની શકે છે. આતંકવાદની બંદૂકની નોંક પર ભારત કોઇ પણ મુદ્દા પર દબાણમાં નહીં આવે.

nawaz sharif
ઇસ્લામાબાદથી પીટીઆઇના રિપોર્ટ અનુસાર નવાઝ શરીફે જણાવ્યું છે કે અમે સંપૂર્ણ ગંભીરતાથી જમ્મુ-કાશ્મીરના મુદ્દાનો હલ ઇચ્છીએ છીએ કારણ કે તણાવના આ મુખ્ય જડને હટાવીને પાકિસ્તાન અને ભારત અંદરો અંદરના સંબંધોને આગળ વધારવાના રસ્તાઓને તલાશે.

અત્રે નોંધનીય છે કે વિદેશ સચિવ સુજાતા સિંહ 25 ઓગષ્ટના રોજ પાકિસ્તાની વિદેશ સચિવ સાથે વાત કરવા માટે ઇસ્લામાબદ જઇ રહ્યા છે જેમાં બંને દેશોની વચ્ચે વાતચીતને આગળ વધારવાના મામલા પર ચર્ચા થશે. સૂત્રો અનુસાર, ભારતે પહેલા જ સ્પષ્ટતા કરી દીધી છે કે પાકિસ્તાનની સાથે વાર્તાની ગાડી તેના વલણના આધાર પર આગળ વધશે. માટે સુજાતા સિંહ પાકિસ્તાની સમકક્ષ વાતચીત દરમિયાન સ્પષ્ટ શબ્દોમાં કહેશે કે પાકિસ્તાની સેનાએ એ સુનિશ્ચિત કરવું પડશે કે એલઓસી અને ઇંટરનેશનલ બોર્ડર પર પાકિસ્તાન સીઝફાયરને તોડવાનું બંધ કરે. આ કારણે સીમા પર રહેનારા લોકોની જીંદગી બરબાદ થઇ રહી છે.

English summary
Raking up the Kashmir issue, Pakistan Prime Minister Nawaz Sharif on Thursday said it is the "main source of tension" in India-Pakistan relations and sought its peaceful resolution to explore new ways to bolster bilateral ties.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X