ભારત સાથે ઉષ્માપૂર્ણ સંબંધો બાંધવા તત્પર છું : નવાઝ શરીફ

વોલ સ્ટ્રીટ જર્નલને આપેલી મુલાકાતમાં શરીફે કહ્યું છે કે હું જ્યારે અગાઉ વડા પ્રધાન હતો ત્યારે મારી સરકારના અમેરિકા સાથેના સંબંધો સારા હતા. હું તે સંબંધોને વધારે સારા બનાવીશ. શરીફે ભારત સાથે ઉષ્માભર્યા સંબંધો બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને અફઘાનિસ્તાન પ્રત્યે પણ દોસ્તીનો હાથ લંબાવશે.
અમેરિકાની સીઆઇએ દ્વારા પાકિસ્તાનમાં કરવામાં આવેલા ડ્રોન હુમલા અંગે તેમણે જણાવ્યું કે "અમેરિકાએ તેના ડ્રોન કેમ્પેઇન અંગે પુનર્વિચાર કરવો જોઇએ અથવા તો પાકિસ્તાનના નાગરિકોમાં વધી રહેલા એન્ટિ અમેરિકન રોષનો સામનો કરવા તૈયાર રહેવું જોઇએ."
શરીફને 1999માં પરવેઝ મુશર્રફના વડપણ હેઠળના લશ્કરે રક્તપાતવિહોણો બળવો કરીને પદભ્રષ્ટ કર્યા હતા. આ વખતની સ્થિતિ અંગે તેમણે જણાવ્યું કે "લશ્કર સાથે મારે કોઇ સમસ્યા નથી. હું નથી માનતો કે મુશર્રફે જે કર્યું તેના માટે લશ્કર જવાબદાર છે. તે સમયે જે થયું તે મુશર્રફે પોતાની અંગત શક્તિઓનો ઉપયોગ કરીને કર્યું હતું. તે માટે લશ્કરને જવાબદાર ઠોરવી શકાય નહીં."
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત







Click it and Unblock the Notifications
