ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી જૈસિંડા આર્ડર્ને આપ્યુ રાજીનામુ, ફેબ્રુઆરીમાં કાર્યકાળ થઇ રહ્યો પૂર્ણ
ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જૈસિડા આર્ડર્ન રાજીનામુ આપી દીધુ છે. પ્રધાનમંત્રી જૈસિંડા આર્ડર્ને પાર્ટીની વાર્ષિક બેઠક દરમિયાન દરેક લોકોને હેરાન કરનાર જાહેરાત કરી હતી. તેમણેે કહ્યુ હતુ કે, આ સમય છે કે, મારી પાસે દેશનુંં નેતૃત્વ કરવાની ઉર્જા નથી રહી. ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી જૈસિંડા આર્ડર્ને રાજીનામુ આપી દિધુ છે. પ્રધાનંમત્રી જેસિડા આર્ડર્નની પાર્ટી વાર્ષિક બેઠક દરમિયાન દરેકને આશ્ચર્યમા મુકે તેવો નિર્ણય લીધો હતો. તેમણે કહ્યુ હતુ કે, આ સમય છે, હવે મારી પાસે દેશના નેતૃત્વ કરવાની ઉર્જા રહી નથી. એટલા માટે પદ છોડી રહી છુ. કેમ કે, આ પ્રકારના અવસર જવાબદારી લઇને આવે છે. જવાબદારી એ જાણવાની કે તમે નેતૃત્વ કરવાની તૈયાર છો કે નહી. અને હુ તે જાણુ છુ કે, મારી અંદર એટલી ઉર્જા નથી.
જણાવી દઇએ કે, જેસિંડા આર્ડર્નના પ્રધાનમંત્રી કાર્યકાળ 7 ફેબ્રુઆરીના ખત્મ થઇ રહ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યુ કે, મનુષ્ય છુ, નેતા પણ મનુષ્ય હોય છે. આપણે બધા સંભવ હોય તેવુ પોતાનું યોગદાન આપીએ છીએ. ત્યાર બાદ સમય આવે છે કે, જ્યારે તમે યોગદાન નથી આપી શક્તા, મારી પાસે હવે તે જ સમય છે. જ્યારે તેમને પુછવામાં આવ્યુ કે, તમે શુ ઇચ્છી રહ્યા છો. દેશ તમારા નેતૃત્વને કેવી રીતે યાદ રાખે તો તેમણે કહ્યુ કે, એવા વ્યક્તિ જે હમેશા સારા અને દયાવાન હતા.
પ્રધાનમંત્રીએ કહ્યુ કે, મને આશા છે કે, ન્યુઝીલેન્ડને એ વિશ્વાસ સાથે છોડી રહી છુ કે તમે દયાળુ છો. અને સારા થઇ શકો છો. આ સાથે જ મજબૂત, નેતૃત્વ કરનાર નિર્ણય લેનાર અે ભવિષ્ય માટે આશાવાન થઇ શકે છે. તમ અલગ નેતા હોઇ શકો છો. જે જાણે છે કે, ક્યારે જવાનુ છે.