Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પાક.માં ભગતસિંહના નામનો વિવાદ, કોર્ટે સ્ટે લંબાવ્યો

Bhagatsingh
કરાંચી, 29 નવેમ્બર: પાકિસ્તાનની એક કોર્ટે લાહોરના ઐતિહાસિક ગોલ ચોકનું નામ શહીદ-એ-આઝમ ભગતસિંહના નામ પર રાખવા પર સ્ટે વધારી દીધો છે. લાહોર હાઇકોર્ટે ફુવારા ચોકનું નામ ભગત સિંહના નામ પર રાખવાના નિર્ણયને પડકારતી અરજી પર પંજાબ સરકાર અને લાહોર જિલ્લા પ્રશાસન તરફથી કોઇ પ્રતિક્રિયા નહીં આવતા સ્ટે ત્રણ સપ્તાહ સુધી વધારી દેવાયો છે.

ઉલ્લેખનીય છે કે જમાત-ઉદ-દાવા સાથે જોડાયેલ તહરીક-એ-હુરમત-એ-રસૂલે ગોલ ચક્કરનું નામ ભગતસિંહના નામ પર રાખવાના નિર્ણયનો વિરોધ કરતી અરજી દાખલ કરી હતી. સંગઠન તરફથી આ અરજી દાખલ કરનાર સ્થાનીય વ્યાપારી જાહિદ બટ્ટનો દાવો છે કે ભારતીય ખુફિયા એજન્સી રોએ આ મુદ્દાને ઉઠાવવા ભગતસિંહ ફાઉન્ડેશનને ધન આપ્યું છે. તેનો દાવો છે કે ફાઉન્ડેશને દિલકશ લાહોર સમિતિ સાથે લોબિંગ કરી છે. આ જ સમિતિએ ગોલ ચક્કરનું નામ ભગતસિંહના નામ પર રાખવાની ભલામણ કરી છે.

બીજી બાજુ જમાત-ઉદ-દાવાના નેતા અને તહરીક-એ-હુરમત-એ-રસૂલના પ્રમુખ મૌલાના અમીર હમ્જાનું કહેવું છે કે તેમનું સંગઠન કોઇપણ સ્થળનું નામ હિન્દુઓ, શીખો અથવા ઇસાઇના નામ પર રાખવાને મંજૂરી નહી આપે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X