પાક.માં ભગતસિંહના નામનો વિવાદ, કોર્ટે સ્ટે લંબાવ્યો

ઉલ્લેખનીય છે કે જમાત-ઉદ-દાવા સાથે જોડાયેલ તહરીક-એ-હુરમત-એ-રસૂલે ગોલ ચક્કરનું નામ ભગતસિંહના નામ પર રાખવાના નિર્ણયનો વિરોધ કરતી અરજી દાખલ કરી હતી. સંગઠન તરફથી આ અરજી દાખલ કરનાર સ્થાનીય વ્યાપારી જાહિદ બટ્ટનો દાવો છે કે ભારતીય ખુફિયા એજન્સી રોએ આ મુદ્દાને ઉઠાવવા ભગતસિંહ ફાઉન્ડેશનને ધન આપ્યું છે. તેનો દાવો છે કે ફાઉન્ડેશને દિલકશ લાહોર સમિતિ સાથે લોબિંગ કરી છે. આ જ સમિતિએ ગોલ ચક્કરનું નામ ભગતસિંહના નામ પર રાખવાની ભલામણ કરી છે.
બીજી બાજુ જમાત-ઉદ-દાવાના નેતા અને તહરીક-એ-હુરમત-એ-રસૂલના પ્રમુખ મૌલાના અમીર હમ્જાનું કહેવું છે કે તેમનું સંગઠન કોઇપણ સ્થળનું નામ હિન્દુઓ, શીખો અથવા ઇસાઇના નામ પર રાખવાને મંજૂરી નહી આપે.












Click it and Unblock the Notifications
