પોતાના કબૂલનામા પર 12 કલાક પણ ન ટક્યુ પાકિસ્તાન, કહ્યુ- અમારે ત્યાં નથી દાઉદ
દર વખતની જેમ આ વખતે પણ પાકિસ્તાન પોતાની વાતમાંથી પલટી ગયુ અને કહ્યુ કે 'દાઉદ અમારે ત્યાં નથી'.
નવી દિલ્લીઃ શનિવારે પાકિસ્તાને માન્યુ કે મુંબઈ બ્લાસ્ટનો મુખ્ય આરોપી અને અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહિમ તેમના દેશમાં જ છે. આ સમાચાર ખુદ પાકિસ્તાનના હવાલાથી આપવામાં આવ્યા હતા. એટલુ જ નહિ પડોશી દેશે એ પણ માન્યુ હતુ કે દાઉદ પાકિસ્તાનમાં રહે છે અને તેની સામે કાર્યવાહી પણ કરી છે. દર વખતની જેમ આ વખતે પણ પાકિસ્તાન પોતાની વાતમાંથી પલટી ગયુ. ત્યાંના વિદેશ મંત્રાલયે હવે આ સમાચારને ફગાવી દીધા છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યુ કે ભારતીય મીડિયામાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાન પોતાની જમીન પર અમુક સૂચિબદ્ધ વ્યક્તિઓ(દાઉદ ઈબ્રાહીમ)ની ઉપસ્થિતિનો સ્વીકાર કર્યો છે.
આ દાવો નિરાધાર અને ભ્રામક છે. આ ઉપરાંત તેણે એ વાતને પણ ફગાવી દીધી કે પાકિસ્તાન આ લોકો પર નવા પ્રતિબંધ લગાવી રહ્યુ છે. આ પહેલા સમાચાર આવ્યા હતા કે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય આતંકવાદી આર્થિક પોષણ પર નિરીક્ષણ રાખતી સંસ્થા (એફએટીએફ)ના ગ્રે લિસ્ટની બહાર થવાની કોશિશે હેઠળ પોતાને ત્યાં આ રીતની મોટી કાર્યવાહી કરી છે. તેણે 88 પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો અને હાફિઝ સઈદ, મસૂદ અઝહર અને દાઉદ ઈબ્રાહિમ સહિત તેમના આકાઓ પર આકરા પ્રતિબંધ લગાવ્યા છે.
સમાચાર અનુસાર આ આતંકી સંગઠનો અને તેમના આકાઓની બધી સંપત્તિઓને જપ્ત કરવા અને બેંક ખાતાઓને સીલ કરવાના આદેશ આપ્યા છે. પેરિસ સ્થિત એફએટીએફે જૂન, 2018માં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં નાખ્યુ હતુ અને ઈસ્લામાબાદને 2019ના અંત સુધી કાર્યયોજના લાગુ કરવા માટે કહ્યુ હતુ પરંતુ કોવિડ-19 મહામારીના કારણે આ સમય સીમા વધારી દેવામાં આવી હતી.
કોર્ટના આદેશ બાદ પૉર્ન સ્ટારને 33 લાખ રૂપિયા આપશે ડોનાલ્ડ ટ્રમ્પ, જાણો કારણ