પાકને ભારતથી આગળ ના લઈ ગયો તો મારુ નામ બદલી દેજોઃ શહબાઝ શરીફ
પાકિસ્તાન મુસ્લિમ લીગ -નવાઝ (પીએમએલ-એન) ના ચીફ શહબાઝ શરીફે પાકિસ્તાનને ભારતથી વધુ બહેતર બનાવવાનું વચન આપ્યુ છે.
પાકિસ્તાન મુસ્લિમ લીગ - નવાઝ (પીએમએલ-એન) ના ચીફ શહબાઝ શરીફે પાકિસ્તાનને ભારતથી વધુ બહેતર બનાવવાનું વચન આપ્યુ છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર શહબાઝે પંજાબ પ્રાંતના સારગોધા જિલ્લામાં રેલીને સંબોધિત કરતા કહ્યુ કે જો તેમનો પક્ષ સત્તામાં આવ્યા બાદ પાકિસ્તાનને ભારતથી આગળ ના લઈ ગયો તો લોકો તેમનું નામ બદલી શકે છે. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી શહબાઝ શરીફને પોતાના ભાઈ નવાઝ શરીફના પીએમ પદથી બરખાસ્ત કરાયા બાદ પીએમએલ-એનના નવા ચીફ બનાવવામાં આવ્યા.

પાકિસ્તાની ન્યૂઝપેપર ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન મુજબ શહબાઝે જનતાને કહ્યુ કે જો તે સત્તામાં આવ્યા બાદ પાકિસ્તાનને ભારતથી બહેતર નહિ બનાવે તો લોકો તેમનું નામ બદલી શકે છે. તેમણે એમ પણ કહ્યુ કે તે (ભારતીય) વાઘા સીમા પર આવશે અને પાકિસ્તાનને પોતાના ગુરુ કહીને બોલાવશે.
પીટીઆઈ ચીફ પર હુમલો કરતા શહબાઝે કહ્યુ કે આપણા મુલ્કને ખોટા વચનો આપનાર ઈમરાન ખાનને વોટ આપીને પાકિસ્તાન ક્યારેય મહાન દેશ નહિ બની શકે. તેમણે આગળ કહ્યુ કે જો તે જીતશે તો મલેશિયાના પીએમ મહાતિર મોહમ્મદ અને તૂર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન તૈયબ સાથે મુલાકાત કરીને પાકિસ્તાનને એક મહાન મુલ્ક બનાવવા માટેના ગુર શીખશે.
શાહરબાઝે કહ્યુ કે ઈમરાન ખાને તેમની સામે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે પરંતુ હજુ સુધી તેમની સામે એક પણ પુરાવો મળ્યો નથી. શહબાઝ શરીફે પાકિસ્તાનની અવામને છ માસની અંદર વીજળી પહોંચાડવાનું વચન આપ્યુ છે. પાકિસ્તાનમાં 25 જુલાઈએ ચૂંટણી છે ઈમરાન ખાન અને નવાઝ શરીફના પક્ષ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
