ઇસ્લામાબાદ આવી રહેલી પીઆઇએની ફ્લાઇટ ક્રેશ, 40 યાત્રીની મોત
પાકિસ્તાની મીડિયાની ખબર મુજબ ઇસ્લામાબાદથી આવી રહેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ક્રેશ થઇ ગઇ છે. તેમાં 40 યાત્રીઓ સવાર હતા.
પાકિસ્તાનની મીડિયાથી પ્રાપ્ત માહિતી મુજબ પાકિસ્તાન ઇન્ટરનેશનલ એયરલાયન્સ એટલે કે પીઆઇએની ફ્લાઇટ સંખ્યા પીકે-661નું ક્રેશ થઇ ગયું છે. આ ફ્લાઇટ બુધવારે ચિત્રાલથી ઇસ્લામાબાદ જઇ રહી હતી. આ ફ્લાઇટમાં 40 યાત્રીઓ સવાર હતા.

નોંધનીય છે કે આ સમાચાર પર હજી વધુ કોઇ માહિતી પ્રાપ્ત નથી થઇ. આ ફ્લાઇટ લગભગ 3:30 વાગે ચિત્રાલથી ટેક ઓફ કરી હતી. અને 4:30 ઇસ્લામાબાદ પહોંચવાની હતી.પાકિસ્તાની સેના અને હેલિકોપ્ટર્સ હાલ પ્લેન ક્રેશ થયેલી જગ્યા હવેલિયન ખાતે મોકલવામાં આવ્યા છે. પીઆઇએના પ્રવક્તા દનિયાલ ગિલાનીએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે પીઆઇએના એટીઆર-42 એરક્રાફ્ટ કે જેમાં 40 જેટલા યાત્રીઓ હતા, તેના થોડાક સમય પહેલા તે પ્લેન સાથે નિયંત્રણ ટૂટી ગયો હતો.












Click it and Unblock the Notifications
