પાકિસ્તાને ફરી વગાડી કાશ્મીર ટેપ
ઇસ્લામાબાદ, 1 મેઃ કાશ્મીરને પાકિસ્તાન માટે મહત્વનો મુદ્દો ગણાવતા દેશના સેના પ્રમુખ જનરલ રહીફ શરીફે કહ્યું છેકે, આ મામલાનું સમાધાન કાશ્મીરીઓની આકાંક્ષાઓ અને ઇચ્છાઓ અનુરૂપ તથા ક્ષેત્રમાં દીર્ઘકાલિક શાંતિ માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવો પ્રમાણે થવું જોઇએ. તેમણે કાશ્મીરને પાકિસ્તાન માટે જગલર વેન કહ્યું છે.

સાઉદી અરબના પ્રવાસથી પરત ફરેલા શરીફે કહ્યું કે, પાકિસ્તાનની સેના શાંતિના પક્ષમાં છે પરંતુ કોઇપણ આક્રમણનો જવાબ ઉચિત રીતે આપવા માટે હંમેશા તૈયાર છે. પાકિસ્તાન દ્વારા અવાર નવાર કાશ્મીરને જગલર વેન કહેવામાં આવે છે, પરંતુ ગયા વર્ષે પદ સંભાળ્યા બાદ જનરલ શરીફે પહેલીવાર આ શબ્દનો પ્રયોગ કર્યો છે.
સ્થાનિક મુદ્દાઓ પર જનરલ શરીફે કહ્યું કે, પાકિસ્તાની સેના લોકતંત્રને મજબૂત કરવા, સંવિધાનને સર્વોચ્ચ માનવા અને કાયદો વ્યવસ્થામાં વિશ્વાસ ધરાવે છે. શરીફે કહ્યું કે, પાકિસ્તાની સેના આતંકવાદને સમાપ્ત કરવા અને દેશમાં શાંતિ જાળવવા દરેક પ્રકારના પ્રયાસને સમર્થન કરે છે.












Click it and Unblock the Notifications
