For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાને અમેરિકાને કહ્યું- ભારતને વાતચીત માટે મનાવો, જવાબ મળ્યો 'નો'

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ બુધવારે અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોપેયો અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) જૉન બોલ્ટન સાથે મુલાકાત કરી છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ બુધવારે અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોપેયો અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) જૉન બોલ્ટન સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત દરમિયાન કુરેશીએ અમેરિકાને અપીલ કરી છે કે તે ભારત સાથે વાતચીત શરૂ કરવામાં પાકિસ્તાનની મદદ કરે. પરંતુ અમેરિકાએ પાકિસ્તાનની આ માંગ ફગાવી દીધી છે. કુરેશીના જણાવ્યા મુજબ વાતચીત વિના બંને દેશો વચ્ચે તણાવ વધી શકે છે. ટ્રમ્પ પ્રશાસને કુરેશીની વાત તો સાંભળી પરંતુ હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કરી દીધો. કુરેશીએ આ વાત તે સમયે જણાવી જ્યારે તે એક થિંક ટેન્કના કાર્યક્રમમાં શામેલ થઈ રહ્યા હતા.

દ્વિપક્ષીય વાતચીત ના થવાથી વધ્યો તણાવ

દ્વિપક્ષીય વાતચીત ના થવાથી વધ્યો તણાવ

કુરેશીએ બુધવારે વોશિંગ્ટન સ્થિત ટોપ અમેરિકી થિંક ટેંક યુએસસ ઈન્સ્ટીટ્યુટ ઓફ પીસ તરફથી પૂછાયેલા સવાલના જવાબમાં આ વાતની જાણકારી આપી. તેમણે કહ્યુ, ‘અમે અમેરિકાને મધ્યસ્થી માટે કહ્યુ કારણકે ભારત અને પાકિસ્તાન વચ્ચે નિયમિત રીતે દ્વિપક્ષીય વાતચીત નથી થઈ રહી. દ્વિપક્ષીય અસહયોગથી તણાવ વધે છે.' કુરેશીએ કહ્યુ કે અમેરિકાએ તેમનો અનુરોધ ફગાવી દીધો. કુરેશીએ કહ્યુ કે તે વેસ્ટર્ન બોર્ડરથી હવે ઈસ્ટર્ન બોર્ડર એટલે કે ભારત પાસેની બોર્ડર પર પોતાનું ધ્યાન લગાવવા ઈચ્છે છે. તેમણે કહ્યુ કે અમેરિકા ઈચ્છે છે કે વાતચીત દ્વિપક્ષીય હોય પરંતુ આવુ નથી થઈ રહ્યુ. કુરેશીએ આ સાથે ચેતવણી આપી કે આમ નહિ થવા પર સાઉથ એશિયાના બંને દેશો વચ્ચે તણાવ વધી શકે છે.

આ પણ વાંચોઃ ટીવી એન્કર સોહેબ ઈલિયાસી પત્નીની હત્યાના આરોપમાંથી મુક્તઆ પણ વાંચોઃ ટીવી એન્કર સોહેબ ઈલિયાસી પત્નીની હત્યાના આરોપમાંથી મુક્ત

ભારત પર લગાવ્યો રાજનીતિનો આરોપ

ભારત પર લગાવ્યો રાજનીતિનો આરોપ

કુરેશીએ આ સાથે કહ્યુ કે જે પણ નિવેદન હાલમાં આવ્યા છે તે ખૂબ જ મદદગાર સાબિત નથી શક્યા. કુરેશીનો ઈશારો ભારતના કેટલાક નેતાઓએ આપેલા નિવેદનો તરફ હતુ. કુરેશીની માનીએ તો સર્જીકલ સ્ટ્રાઈક અને આવી વાતોનો કોઈ મતલબ નથી અને આ તો માત્ર રાજનીતિ છે. કુરેશીની માનીએ તો ભારતમાં ચૂંટણી થવાની છે અને આ વાતને ધ્યાનમાં રાખીને ભારતીય નેતાઓ નિવેદન આપી રહ્યા છે. કુરેશીએ કહ્યુ કે પાકિસ્તાનમાં ઈમરાન ખાનની નવી સરકાર વાતચીતથી ભાગવાની નથી. તેમણે ભારત પર વાતચીતથી પાછળ હટવાનો આરોપ લગાવ્યો. કુરેશીનો ઈશારે ન્યૂયોર્કમાં તેમની અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ વચ્ચે યોજાનાર મુલાકત પર હતો જેને ભારતે રદ કરી દીધી હતી.

બુરહાન વાણી પર મૌન રહ્યા કુરેશી

બુરહાન વાણી પર મૌન રહ્યા કુરેશી

કુરેશીના જણાવ્યા મુજબ એ ઘણુ દૂર્ભાગ્યપૂર્ણ છે કે બંને પડોશીઓ વચ્ચે વાતચીત નથી થઈ રહી. કુરેશીએ કહ્યુ કે પાકિસ્તાનની નવી સરકાર ક્ષેત્રમાં સ્થિરતા ઈચ્છે છે. ભારતનું કહેવુ છે કે પાકિસ્તાને એવી સ્થિતિ પેદા કરી દીધી છે કે વાતચીત રદ કરવી પડી. પાકિસ્તાને હિઝબુલ મુજાહિદ્દીનના આંતકી બુરહાન વાણી પર પોસ્ટ ટિકિટ જારી કરી હતી. વળી, દક્ષિણ કાશ્મીરના શોપિયાંમાં ત્રણ પોલિસકર્મીઓની પણ હત્યા આતંકીઓએ કરી દીધી હતી. પાકિસ્તાનના વિદેશ મંત્રીએ આના પર કંઈ પણ કહ્યુ નહિ.

આ પણ વાંચોઃ નૈના સાહનીના શબને કાપીને તંદૂરમાં બાળનાર સુશીલની સમય પહેલા મુક્તિ નહિઆ પણ વાંચોઃ નૈના સાહનીના શબને કાપીને તંદૂરમાં બાળનાર સુશીલની સમય પહેલા મુક્તિ નહિ

English summary
Pakistan wanted US help for talks with India, gets rejected.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X