એક નવા યુદ્ધના એંધાણ, પાકિસ્તાને અફધાનિસ્તાન પર કર્યો હુમલો, 15 લોકોના મોત
Pakistani airstrikes in Afghanistan: મંગળવારની રાત્રે પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલો કર્યો હતો. આ હવાઈ હુમલામાં 15 લોકોના મોત થયા છે. પાકિસ્તાની વાયુસેનાએ બરમલ જિલ્લા અને પક્તિકા પ્રાંતના સાત ગામોને નિશાન બનાવ્યા હતા.
પાકિસ્તાને દાવો કર્યો છે કે, તેણે પાકિસ્તાની તાલિબાન (TTP)ના એક ટ્રેનિંગ કેમ્પને નષ્ટ કરી નાખ્યો અને અસંખ્ય આતંકવાદીઓને મારી નાખ્યા છે. ખામા પ્રેસના જણાવ્યા અનુસાર, 24મી ડિસેમ્બરના રોજ થયેલા હુમલામાં મહિલાઓ અને બાળકોના મોત થયા હતા, જેમાં સંભવતઃ વધારો થઈ શકે છે.
તાલિબાનની આગેવાની હેઠળના અફઘાન સંરક્ષણ મંત્રાલય દ્વારા પાકિસ્તાનની કાર્યવાહી પર આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેઓએ જણાવ્યું કે, નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા અને ગંભીર પરિણામોની ચેતવણી આપવામાં આવી હતી.
અફઘાન સંરક્ષણ મંત્રાલયે મૌન ન રહેવાની પ્રતિજ્ઞા લેતા જાહેર કર્યું હતું કે, અફઘાનિસ્તાનની ઇસ્લામિક અમીરાત આને ઘાતકી અપરાધ માને છે, અને તેની સખત શબ્દોમાં નિંદા કરે છે.

પડોશીઓ વચ્ચે તણાવમાં વધારો - આ હવાઈ હુમલાથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. જોકે, પાકિસ્તાની અધિકારીઓએ હુમલાની પુષ્ટિ કરી નથી, લશ્કરી સૂત્રોએ સંકેત આપ્યો છે કે, તે સરહદની નજીક થયો હતો.
આ યોજના મુજબ તાલિબાનના ઠેકાણાઓને નિશાન બનાવીને થયો હતો. TTP પાકિસ્તાન પર સતત હુમલા કરી રહ્યું છે, જે અફઘાનિસ્તાન પર આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ લગાવે છે.
આ હુમલા દરમિયાન લમણ ગામને સૌથી વધુ નુકસાન થયું હતું, જેમાં પરિવારના પાંચ સભ્યોએ જીવ ગુમાવ્યા હતા. સ્થાનિકોએ અહેવાલ આપ્યો હતો કે, બોમ્બ ધડાકા અચાનક શરૂ થયા હતા.
જેના કારણે તાત્કાલિક જાનહાનિ થઈ હતી. તાલિબાનના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો કે, હવાઈ હુમલાથી પ્રભાવિત લોકોમાં વઝીરિસ્તાની શરણાર્થીઓ હતા.
તાલિબાનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઇનાયતુલ્લાહ ખાવર્ઝમીએ પાકિસ્તાનના આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. તેણે X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કર્યું કે નાગરિકો, મોટાભાગે વઝિરિસ્તાની શરણાર્થીઓ, હવાઈ હુમલામાં માર્યા ગયા, ઘણા બાળકો અને અન્ય નાગરિકો ઘાયલ થયા છે.












Click it and Unblock the Notifications
