PM Modi Malaysia Visit: 'આપણી મિત્રતાની ઊંડાઈ પ્રેરણાદાયક', મલેશિયામાં PM મોદીના સંબોધનની 10 મોટી વાતો
PM Modi Malaysia Visit 2026: PM નરેન્દ્ર મોદીની મલેશિયા યાત્રાએ બંને દેશો વચ્ચે સહયોગના એક નવા યુગની શરૂઆત કરી છે. કુઆલાલમ્પુર ખાતે PM મોદી અને મલેશિયાના PM અનવર ઈબ્રાહિમ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત બાદ અનેક મહત્વપૂર્ણ સમજૂતીઓ (MoUs) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ બેઠક સંરક્ષણ, ડિજિટલ ટેકનોલોજી, સેમિકન્ડક્ટર અને કૃષિ જેવા મુખ્ય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પર કેન્દ્રિત હતી.

PM મોદીએ આ ભાગીદારીને પ્રાદેશિક સ્થિરતા માટે અનિવાર્ય ગણાવતા કહ્યું કે ભારત અને મલેશિયાની પ્રગતિ એકબીજા સાથે જોડાયેલી છે. આ યાત્રા બંને દેશો વચ્ચેની 'વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી'ને જમીન પર ઉતારવાની દિશામાં એક મોટું પગલું છે.
MoUs India Malaysia: મિત્રતાની ઊંડાઈ અને નવો જોશ
PM મોદીએ જણાવ્યું કે, તેઓ આ મિત્રતાની ઊંડાઈનો અનુભવ કરી રહ્યા છે. PM તરીકે આ તેમની ત્રીજી મલેશિયા મુલાકાત છે. તેમણે અનવર ઈબ્રાહિમ સાથેની તેમની ચોથી મુલાકાતને "ગતિશીલતા"નું પ્રતીક ગણાવી હતી. તેમના મતે, તાજેતરના વર્ષોમાં બંને દેશોના સંબંધો અત્યંત પ્રેરણાદાયી રહ્યા છે, જે હવે એક નવી અને આધુનિક દિશા તરફ આગળ વધી રહ્યા છે.
આતંકવાદ સામે સંયુક્ત મોરચો
વાતચીત દરમિયાન PM મોદીએ આતંકવાદ સામેની લડાઈમાં મિત્ર દેશોના સહયોગને જરૂરી ગણાવ્યો હતો. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારત અને મલેશિયાની સમૃદ્ધિ એકબીજા સાથે જોડાયેલી છે. વૈશ્વિક અસ્થિરતાના આ યુગમાં બે દરિયાઈ પડોશી દેશોનું સાથે આવવું એ સમગ્ર એશિયા ક્ષેત્રની શાંતિ અને પ્રગતિ માટે એક મોટું પગલું છે.
ટેકનોલોજી અને વેપારમાં સહયોગ
આજે ભારત અને મલેશિયા ખેતીથી લઈને સેમિકન્ડક્ટર અને ક્લીન એનર્જી સુધીના દરેક ક્ષેત્રમાં સાથે મળીને કામ કરી રહ્યા છે. PM મોદીએ કહ્યું કે ભારત મલેશિયા સાથેના પોતાના સંબંધોને નવા સ્તરે લઈ જવા માંગે છે. આમાં સ્કીલ ડેવલપમેન્ટ (કૌશલ્ય વિકાસ) અને ડિફેન્સ (સંરક્ષણ) જેવા ક્ષેત્રો બંને દેશોની પ્રાથમિકતામાં સૌથી ઉપર છે.
Indian Diaspora in Malaysia: સંબંધોનો 'લિવિંગ બ્રિજ'
મલેશિયામાં લગભગ 30 લાખ ભારતીય મૂળના લોકો વસે છે. PM મોદીએ તેમને બંને દેશો વચ્ચેના 'જીવંત પુલ' તરીકે ઓળખાવ્યા હતા. તેમણે અનવર ઈબ્રાહિમ સાથે ભારતીય સમુદાયના કાર્યક્રમમાં હાજરી આપી હતી અને પ્રવાસી ભારતીયો પ્રત્યે મલેશિયાના PMનું સન્માન જોઈને ગર્વ અનુભવ્યો હતો. આ સાંસ્કૃતિક જોડાણ જ સંબંધોની સાચી તાકાત છે.
આસિયાન (ASEAN) સાથે વધતા કદમ
મલેશિયાના આસિયાન અધ્યક્ષપદના વખાણ કરતા PM મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આનાથી ભારતના દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. તેમણે સ્પષ્ટ કર્યું કે "ભારત-મલેશિયા ભાગીદારી સામૂહિક પરિવર્તન" માટે છે. બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાત આગામી સમયમાં અનેક મોટા આર્થિક કરારોનો આધાર બનશે.
મલેશિયાના PMએ શું કહ્યું?
બીજી તરફ મલેશિયાના PM અનવર ઈબ્રાહિમે કહ્યું, "PM મોદી તમારું સ્વાગત છે, આપણે ખૂબ જ સારા સંબંધો બનાવ્યા છે. આ માટે તમારો અને તમારી ટીમનો આભાર. અમે એવા કેટલાક મુદ્દાઓ પર વાત કરી છે જે ચિંતાનો વિષય છે, મને લાગે છે કે અમારી ટીમોએ તેના પર ધ્યાન આપવાની જરૂર છે. અમે તમામ ક્ષેત્રોમાં વધુ સહયોગની અપેક્ષા રાખીશું, અને આ મુલાકાત મારા માટે વ્યક્તિગત રીતે પણ ખૂબ મહત્વની છે."












Click it and Unblock the Notifications
