મોદી ઇન મલેશિયા: શું મોદીના વિદેશ પ્રવાસથી ભારતનો ફાયદો થાય છે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ મલેશિયાના વિદેશ પ્રવાસ પર છે. તે અહીં કોલાલ્મપુરમાં એશિયન સંમેલનમાં ભાગ લેવા ગયા છે. અહીં એશિયન સંમેલનને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહ્યું કે તે ભારતને મેનીફેક્ચરિંગ હબ બનાવવા માંગે છે. વધુમાં મોદીએ કહ્યું કે ભારતમાં તમામ દેશો માટે સોનેરી તક છે.
ત્યારે બ્રિટન પ્રવાસના થોડા દિવસ બાદ તરત જ મોદી મલેશિયાના વિદેશ પ્રવાસ પર જવા ઉપડી જતા સોશ્યલ મીડિયા અને લોકોમાં ફરી એક વાર કેટલાક એક સવાલ ઊભો થયો છે કે શું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આટલા વિદેશ પ્રવાસથી ભારતને કોઇ ફાયદો થઇ રહ્યો છે. ધણા લોકો તો રમૂજમાં તે પણ કહી રહ્યા છે કે મોદી વડાપ્રધાન નથી વિદેશ પ્રધાન છે.
ત્યારે આ મુદ્દા અંગે અને તેના સારા નાસારા પાસા વિષે અમે થોડીક જાણકારી મેળવી છે. સુત્રો મુજબ માહિતી મળી તે મુજબ મોદી તેવા પહેલા વડાપ્રધાન નથી જેમણે તેમના કાર્યકાળમાં મોટી સંખ્યામાં વિદેશ પ્રવાસ કર્યા હોય. આ પહેલા મનમોહન સિંહે પણ એક વર્ષની અંદર જ 14 દેશોનો પ્રવાસ કર્યો હતો અને 42 દિવસના વિદેશ પ્રવાસ પર ગયા હતા.
ત્યારે મોદીના વિદેશ પ્રવાસથી શું શું ફાયદા ભારત થયા છે અને ક્યાં ભારતને નુક્શાન થયું છે તે વિષે અમે જાણવાનો પ્રયાસ કર્યો છે. અને તેમાંથી થોડાક મુદ્દા નીચે મુજબ છે...

રોકાણ
તે વસ્તુ નકારી શકાય તેમ નથી કે મોદીના વિદેશ પ્રવાસથી વિદેશી રોકાણકારો ભારત તરફ આકર્ષાયા છે. તેમણે સારા પાયે ભારતમાં રોકાણ કર્યું છે. જાપાને 35 બિલિયન ડોલર, અમેરિકા 41 બિલિયન ડોલર, આવી રીતે અનેક દેશોએ ભારતમાં રોકાણ કરવામાં રસ બતાવ્યો છે. એફીડી આઇ પણ વધ્યું છે. જે સારી વાત છે.

UNSC મેમ્બરશીપ
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરીષદની મેમ્બરશીપ માટે ભારત પાછલા લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યું છે. મોદીના વિદેશપ્રવાસથી આને પ્રાણવાયુ મળ્યો છે તેવું કહેવું અતિશ્યોક્તિ નથી. અમેરિકા, બ્રિટન જેવા મોટા દેશોએ આ અંગે સહમતિ વ્યક્ત કરી છે તો બીજી તરફ મોદી તેવા અનેક નાના દેશાના વડાપ્રધાનને પણ મળી રહ્યો છે જે આપણા વતી વોટ નાંખી આપણને આ સીટ મેળવવા માટે મોટો નંબર આપી શકે. તેમને આ કૂટનિતી સરાહનીય છે.

ન્યૂક્લિયર પાવર
ભારત જેવા મોટા દેશમાં વિજળી એક મોટો પ્રશ્ન છે. ઓસ્ટ્રેલિયા અને કેનેડા સાથે આપણા યુરેનિયમ કરારો થયા છે. જેનાથી આવનારા સમયમાં વિજળીના પ્રશ્ન હળવો થશે. પણ આની પૂરી કેડિટ મોદીને સાથે તેની પહેલાની સરકારના શરૂઆતી પ્રયાસને પણ જાય છે.

પોઝિટવ ઇન્ડિયા
વિદેશમાં ભારતની છબી સુધરી છે. એક સારા પ્રવક્તા તરીકે મોદીએ ભારતની છબી વિદેશીમાં સુધરવામાં મોટા ફાળો આપ્યો છે. કહેવાય છેને કે જ્યાં સુધી આપણે આપણા વખાણ નહીં કરીએ ત્યાં સુધી બીજા આપણા વખાણ નહીં કરે બસ કંઇક એવું જ મોદી કરી રહ્યા છે.

વિદેશ કૂટનીતિ
નેપાળ સાથે ભારતના સંબંધો સુધર્યા છે. નેપાળના ભૂકંપ વખતે ભારતની મદદને વિશ્વ બિરદાવ્યું હતું. ત્યાં જ યમનથી ભારતીય સાથે 41 વિવિધ દેશોના લોકોને પણ સહી સલામત ભારત લાવવામાં આવ્યા હતા. જે એક સારી વિદેશ કૂટનીતિ કહી શકાય. પણ આનો જેટલો શ્રેય મોદીને જાય છે તેનાથી ડબલ ધણો ભારતીય સેનાને પણ જાય છે કારણ કે મોદીજી તો કહીને છૂટી ગયા પણ યમન અને નેપાળમાં ભારતનું માથું ગર્વથી ઊંચુ કરવા પાછળ ભારતીય સેનાનો પણ મોટો હાથ છે.

રફાલ ફાઇટર જેટ ડિલ
મોદીએ ફ્રાંસ પ્રવાસ વખતે ફ્રાંસના 36 રફાલ જેટ વિમાની ની ખરીદી ડાયરેક્ટ કરી. તેનાથી વાયુ સેનાને બૂસ્ટ મળ્યું. વળી ડાયરેક્ટ ખરીદી થવાથી વચેટિયા અને કમિશનબાજોને નુક્શાન થયું અને ભારતને ફાયદો.

ચિંતાનો વિષય
ત્યારે જોવાનું તે રહ્યું કે આટલા વિદેશી રોકાણ બાદ ભારતનો વિકાસ થાય છે કે વચેટિયાઓનો? સાથે જ તે પણ જોવાનું કે નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ જેવા પડોશી જોડે લાંબા ગાળે પણ સારા સંબંધો બની રહે છે કેમ? આવા કંઇ કેટલાય સવાલો છે જેનો ઉત્તર ખાલી આવનારો સમય જ આપશે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ










Click it and Unblock the Notifications
