Pics: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પેરિસમાં ભવ્ય સ્વાગત
નવી દિલ્હી, 10 એપ્રિલ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે આઠ દિવસના વિદેશ પ્રવાસ માટે રવાના થઇ ગયા છે. વડાપ્રધાન પોતાની આ વિદેશ યાત્રા દરમિયાન ફ્રાંસ, જર્મની અને કેનેડાની યાત્રા કરશે. ગુરુવારે મોટી સાંજે નરેન્દ્ર મોદી ફ્રાંસ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્રે ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાન્કોઇસ હોલાન્દે અને અન્ય બિઝનેસ લીડરો સાથે મુલાકાત કરશે. હોલાંદે સાથેની મુલાકાતમાં સિવિલ પરમાણુ, રક્ષા અને વ્યાપારનો મુદ્દો મહત્વનો રહેશે. મોદીની ફ્રાંસ યાત્રાનું સૌથી મોટુ આકર્ષણ એ રહવાનું છે કે તેઓ અત્રે પણ ચાય પે ચર્ચાની તર્જ પર હોલાન્દેની સાથે 'નાવ પે ચર્ચા' કરવાના છે.
આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્રે પ્રથમ વિશ્વયુદ્ધના મેમોરિયલની મુલાકાત પણ લેશે. અને ફ્રાંસ તરફથી યુદ્ધમાં શહીદ થયેલા 10,000 ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપશે.
વડાપ્રધાન મોદી પેરિસ પહોંચી ચૂક્યા છે, ત્યાં તેમનું કેવી રીતે સ્વાગત કરવામાં આવ્યું આવો જોઇએ તસવીરોમાં...

ફ્રાંસ પહોંચ્યા મોદી
પેરિસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા ભારતીય સમુદાયના લોકો આવી પહોંચ્યા હતા.

એરપોર્ટ પર મોદીનું સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પેરિસ પહોંચ્યા ત્યારે ભારતીય મૂળના લોકોએ ટ્રેડિશનલ વસ્ત્રો ધારણ કરીને વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું.

પેરિસ એરપોર્ટ પર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે મોડી સાંજે પેરિસ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા.

એરપોર્ટ પર મોદીનું સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે મોડી સાંજે પેરિસ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા, જ્યાં તેમનું પ્રોટોકોલ હેઠળ સ્વાગત કરવામાં આવ્યું હતું.

પેરિસ એરપોર્ટ પર મોદી
પેરિસ એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ફ્રાંસના રમતમંત્રીએ સ્વાગત કર્યું હતું.

પેરિસ એરપોર્ટ પર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે મોડી સાંજે પેરિસ એરપોર્ટ પર આવી પહોંચ્યા. મોદી અત્રે ત્રણ દિવસ સુધી રોકાશે.

મોદી અને ભારતીય નાગરીકો
પેરિસ એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભારતીય નાગરિકોએ આ રીતે સ્વાગત કર્યું હતું.

મોદી પહોંચ્યા પેરિસ
નરેન્દ્ર મોદી પેરિસ આવી પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ ફ્રાંસ અને ભારતના રાષ્ટ્રધ્વજને હાથમાં લઇને મોદીનું સ્વાગત કર્યું હતું.
-
હોર્મુઝની સામુદ્રધુની: યુદ્ધવિરામ છતાં શિપિંગ ક્ષેત્રે અનિશ્ચિતતાનો માહોલ -
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
