ઋષિ સુનકના દાદા હતા RSSના સભ્ય? કેન્યામાં વિદ્રોહીઓને આપી હતી ગેરિલ્લા યુદ્ધની ટ્રેનિંગ, રિપોર્ટમાં ખુલાસો
યુકેના વડા પ્રધાન ઋષિ સુનકના દાદાએ પચાસના દાયકામાં ક્રૂર બ્રિટિશ શાસન સામે બળવામાં મદદ કરી હતી. આ ખુલાસો બ્રિટિશ અખબાર ડેલી મેલ દ્વારા કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં સુનકના દાદા રામદાસ સુનક પણ ભારતમાં RSS સાથે જોડાયેલા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
રિપોર્ટ અનુસાર, ઋષિ સુનકના દાદા રામદાસ સુનકે કેન્યાના માઉ માઉ લડવૈયાઓને ગેરિલા ટેકનિકની તાલીમ આપી હતી. આ સમય દરમિયાન રામદાસ સુનક બ્રિટિશ પેરોલ પર હતા અને સ્વતંત્રતા તરફી પ્રવૃતિઓને ટેકો આપતા હતા.

માઉ માઉ ફાઇટર્સ કેન્યામાં રાષ્ટ્રવાદીઓનો સમૂહ હતો. 1950ના દાયકામાં બ્રિટિશ સંસ્થાનવાદી શાસનથી આઝાદીની લડતમાં માઉ માઉએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
1952માં બ્રિટિશ સંસ્થાનવાદી નીતિઓ સામે માઉ માઉ બળવો શરૂ થયો હતો. આમાં માઉ માઉ લડવૈયાઓએ ગેરિલા રણનીતિ અપનાવી જેમાં ઓચિંતો હુમલો, દરોડા અને તોડફોડનો સમાવેશ થાય છે.
આ દ્વારા બળવાખોરોએ બ્રિટિશ અધિકારીઓ અને બ્રિટિશ સત્તાને ટેકો આપતા વફાદાર આફ્રિકનોને નિશાન બનાવ્યા. ડેઈલી મેઈલના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ઋષિ સુનકના દાદા પણ મૌ માઉ બળવાખોરોને ગેરિલા તાલીમ આપનારાઓમાં સામેલ હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઋષિ સુનકના દાદા રામદાસ સુનકનો જન્મ બ્રિટિશ શાસન હેઠળ ભારતના પંજાબમાં થયો હતો. ત્યાંથી તેઓ 1930માં પૂર્વ આફ્રિકા ગયા અને ત્યાં સ્થાયી થયા.
અહેવાલ મુજબ, રામદાસે માખન સિંહ નામના બાળપણના મિત્ર સાથે કેન્યાની સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો હતો. માખન સિંહ પણ પંજાબના હતા અને કેન્યામાં અગ્રણી ટ્રેડ યુનિયનિસ્ટ બન્યા હતા.
કેન્યાની આઝાદી પછી, રામદાસ સુનક ત્યાં જાતિવાદનો સામનો કર્યા પછી યુકેમાં રહેવા ગયા. અહીં તેમણે કારકુન તરીકે કામ કર્યું અને પછી મહેસૂલ વિભાગમાં વરિષ્ઠ પ્રશાસક તરીકે કામ કર્યું. અહેવાલમાં વધુમાં દાવો કરવામાં આવ્યો હતો કે રામદાસ બાદમાં સાઉધમ્પ્ટનમાં સ્થાયી થયા હતા જ્યાં તેમણે વૈદિક સોસાયટી હિન્દુ મંદિરની સ્થાપના કરવામાં મદદ કરી હતી.
ડેઈલી મેઈલના અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે રામદાસ સુનક ભારતમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે જોડાયેલા ભારતના રાષ્ટ્રવાદી જૂથ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સભ્ય હતા.
આઝાદી પછી, કેન્યામાં જાતિવાદનો સામનો કર્યા પછી રામદોસે બ્રિટન જવાનું નક્કી કર્યું, જ્યાં તેમના બે પુત્રો પહેલેથી જ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા હતા. અહેવાલ મુજબ, તેઓ પાછળથી સાઉધમ્પ્ટનમાં સ્થાયી થયા, જ્યાં તેમણે વૈદિક સોસાયટી હિન્દુ મંદિરની સ્થાપના કરવામાં મદદ કરી હતી.












Click it and Unblock the Notifications
