રશિયાએ માનવતાના આધારે યુક્રેનમાં આજ માટે સીઝફાયરનુ કર્યુ એલાન
રશિયાએ માનવતાના આધારે આજે યુક્રેનમાં સીઝફાયરનુ એલાન કર્યુ છે.
મૉસ્કોઃ રશિયાએ માનવતાના આધારે આજે યુક્રેનમાં સીઝફાયરનુ એલાન કર્યુ છે. જેનાથી અહીં ફસાયેલા સામાન્ય નાગરિક બહાર નીકળી શકે. મીડિયા રિપોર્ટ મુજબ રશિયાએ સાઈલેન્સ મોડ ઘોષિત કરી દીધો છે અને તે માનવતાના આધારે કીવ સહિત ઘણા શહેરોમાં કોરિડોર પૂરો પાડવા માટે તૈયાર છે. આ એલાન એવા સમયે આવ્યુ છે જ્યારે યુક્રેન અને રશિયા બંનેએ એકબીજા પર કોરિડોરમાં અડચણ નાખવાનો આરોપ લગાવ્યો હતો. રશિયાનુ કહેવુ છે કે અમે ચર્નિહીવ, સૂમી, ખારકીવ, મારિયોપોલ, જેપોરિજિયામાં કોરિડોર પૂરો પાડવા માટે તૈયાર છે.

માનવાધિકાર કોઑર્ડિનેશન સેન્ટરના પ્રમુખ મિખેલ મિજિન્ટસેવે કહ્યુ કે રશિયાએ એક વાર ફરીથી યુક્રેનના પ્રસ્તાવ આપ્યો છે કે તે સામાન્ય નાગરિકોને બહાર નીકળવાના રસ્તા પર રાજી થાય. નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે આ નિવેદનને તત્કાલ પ્રભાવથી યુક્રેનના સંજ્ઞાનમાં લાવવામાં આવી રહ્યુ છે કે 9 માર્ચે રાતે 3 વાગ્યાથી માનવતાના આધારે સામાન્ય નાગરિકોને બહાર નીકળવા માટે કોરિડોર પૂરો પાડવામાં આવે, આના માટે લેખિત સ્વીકૃતિ પણ આપવામાં આવે, જેમાં સુરક્ષાની પણ ગેરેન્ટી હોય.
આ પહેલા મંગળવારે સામાન્ય નાગરિકોને બહાર કાઢવાનુ કામ કરવામાં આવ્યુ. મુખ્ય રીતે સૂમીમાં લોકોને બહાર કાઢવાનુ અભિયાન ચલાવવામાં આવ્યુ છે. આ ઉપરાંત કીવમાં પણ જે લોકો ફસાયા છે તેમને બહાર કાઢવામાં આવ્યા. તમને જણાવી દઈએ કે સૂમી શહેરમાં ભારતના ઘણા નાગરિકો ફસાયેલા હતા જેમને બહાર કાઢવા માટે ભારતે યુએનમાં પણ અપીલ કરી હતી. ભારતે યુએનમાં કહ્યુ હતુ કે બંને પક્ષોને આના માટે અપીલ કરવામાં આવી હતી પરંતુ આનો કોઈ ઉકેલ નીકળી શક્યો નહોતો. જે બાદ રશિયાએ બુધવાર માટે સીઝફાયરનુ એલાન કર્યુ છે.
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત




Click it and Unblock the Notifications
