Hvaldimir Whale: રશિયાની જાસૂસ કે માત્ર એક 'કમનસીબ' વ્હેલ! આખરે કેમ એક મૂંગા પ્રાણીને મળ્યુ હતુ આ ટેગ?
Russian spy Hvaldimir: રશિયાની જાસૂસી વ્હેલ હ્વાલ્દિમિરના મોતથી અનેક સવાલો ઉભા થયા છે. હાલમાં જ જ્યારે વ્હેલનો મૃતદેહ જોવા મળ્યો ત્યારે ખળભળાટ મચી ગયો હતો. 14 ફૂટ લાંબી અને 2,700 પાઉન્ડ વજન ધરાવતી આ વ્હેલ પાંચ વર્ષ પહેલાં કેમેરામાં કેદ થઈ હતી. આ પછી તેનું નામ હ્વાલ્દિમિર ધ સ્પાય વ્હેલ રાખવામાં આવ્યું.
આ વ્હેલના શરીર પર સાધનોના નિશાન હતા, જે બાદ એવી અટકળો શરૂ થઈ હતી કે તે રશિયન જાસૂસ છે. પરંતુ સાથે જ આ વ્હેલ અપશુકન પણ માનવામાં આવતી. ચાલો સમજીએ કે શા માટે આ સુંદર સફેદ વ્હેલને કમનસીબનુ લેબલ લગાવવામાં આવ્યુ હતુ.

તે પાંચ વર્ષ પહેલાની વાત છે, એટલે કે વર્ષ 2019, જ્યારે નોર્વેમાં પ્રથમ વખત હ્વાલ્ડિમિર જોવા મળી હતી. તેના ગળામાં એક બેન્ડ હતું જેના પર સેન્ટ પીટર્સબર્ગ લખેલું હતું. ત્યારથી, એવી અટકળો શરૂ થઈ હતી કે આ વ્હેલ રશિયન જાસૂસ છે.
પરંતુ જાસૂસ કહેવાની સાથે તેને કમનસીબ પણ કહેવામાં આવી. તેનું કારણ એ હતું કે આ વ્હેલને જાસૂસ કહ્યા પછી પણ તેની માલિકીનો ક્યારેય કોઈ રશિયન અધિકારીએ દાવો કર્યો ન હતો. આનાથી આખી દુનિયા ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ.
લોકોના મનમાં તમામ પ્રકારના સવાલો ઉઠવા લાગ્યા કે શું આ વ્હેલ ખરેખર કોઈ જાસૂસ હોઈ શકે છે કે પછી કોઈ અજીબ પરિસ્થિતિમાં ફસાયેલ કોઈ કમનસીબ પ્રાણી હોઈ શકે છે. જો કે, મળી આવ્યા બાદ પાંચ વર્ષ સુધી આ વ્હેલ જાસૂસ જ માનવામાં આવતી હતી.
ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સુરક્ષા માટે કામ કરતી બિન-લાભકારી સંસ્થા મરીન માઇન્ડ દ્વારા આ વ્હેલ પર નજર રાખવામાં આવી હતી. તે તેની ગતિવિધિઓ પર નજર રાખતા હતા. તેના સ્થાપક સેબેસ્ટિયન સ્ટ્રેન્ડે પણ કહ્યું કે આ ઘટના હૃદયદ્રાવક છે. તેણે નોર્વેમાં હજારો લોકોના હૃદયને સ્પર્શી લીધું છે.












Click it and Unblock the Notifications
