severe turbulence : દિલ્હી-સિડની એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સર્વેયર ટર્બુલન્સ, ઘણા મુસાફરો ઘાયલ
severe turbulence : દિલ્હી-સિડની એર ઈન્ડિયાની ફ્લાઇટમાં સવાર ઘણા મુસાફરો મંગળવારના રોજ ફ્લાઇટ દરમિયાન હવામાં સર્વેયર ટર્બુલન્સનો સામનો કરવો પડ્યો હતો. જેમાં ઘણા મુસાફરો ઘાયલ થયા હતા. સિડની એરપોર્ટ પર પહોંચ્યા બાદ ડૉક્ટર્સ દ્વારા સારવાર કરવામાં આવી હતી. જોકે, કોઇપણ મુસાફરને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી ન હતી.

એએનઆઈના અહેવાલ મુજબ મંગળવારના રોજ દિલ્હી-સિડની એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સવાર કેટલાક મુસાફરોને severe turbulence ને કારણે ઈજાઓ થઈ હતી. ઇજાગ્રસ્ત મુસાફરોને સિડની એરપોર્ટ પર પહોંચતા જ તબીબી સહાય મળી હતી. કોઈ મુસાફરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ન હતા.
ડીજીસીએના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અકસ્માત બાદ 7 મુસાફરોને નાની-મોટી મચકોડ આવી હતી. એર ઈન્ડિયાના કેબિન ક્રૂએ ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા ડૉક્ટર અને નર્સની મદદથી ઘાયલ મુસાફરોને પ્રાથમિક સારવાર પૂરી પાડી હતી.
આવી જ એક ઘટનામાં, ગયા વર્ષે મે મહિનામાં મુંબઈ-દુર્ગાપુર સ્પાઈસજેટની ફ્લાઈટને તેના ઉતરાણ દરમિયાન સર્વિયર ટર્બુલન્સ નો સામનો કરવો પડ્યો, ત્યારે 12 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. સર્વિયર ટર્બુલન્સ દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા મુસાફરોમાંથી એકનું ઘણા મહિનાઓ પછી અવસાન થયું હતું. 48 વર્ષીય અકબર અંસારી સપ્ટેમ્બર 2022 માં ઇજાઓને કારણે મૃત્યુ પામ્યા તે પહેલા એક મહિના માટે વેન્ટિલેટર સપોર્ટ પર હતા.
યુએસમાં ન્યુ ઇંગ્લેન્ડ પર એક ખાનગી જેટ સર્વિયર ટર્બુલન્સ નો શિકાર બન્યું હતું, જેના કારણે એક મુસાફરનું મૃત્યુ થયું હતું અને આ વર્ષની શરૂઆતમાં માર્ચમાં એરક્રાફ્ટને કનેક્ટિકટના અન્ય એરપોર્ટ તરફ વાળવાની ફરજ પડી હતી.












Click it and Unblock the Notifications
